શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક મોટા સમાજે કરી પોતાના મુખ્યમંત્રીની માંગ, જાણો કોનો કોનો લિસ્ટમાં છે સમાવેશ?

સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે. 

રાજકોટ: ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી હતી. આ પછી ગઈ કાલે ક્ષત્રિય સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. હવે રાજ્યમાં વધુ એક સમાજ સામે આવ્યો છે. જેણે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે. 

રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી તેમના સમાજના બને તે માટે બંધ બારણે બેઠક મળી હતી. સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે. 

અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોર માંથી કોઈ એક મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. 

પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવા પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજમાં માગ ઉઠી છે. રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે.પી જાડેજા માગ કરી કે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. આ પ્રથમ વખત નથી. અગાઉ ખોડલધામના નરેશ પટેલ પણ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માગ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.

નરેશ પટેલે કહ્યું હતું કે, 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને. એટલુ જ નહી, નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો જે અધિકાર બને છે તેની અમે સરકારને રજૂઆત કરીશુ. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલ આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાની વાત નરેશભાઈ પટેલે કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું કે આમ તો ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવતો નથી.. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પ્રયોગોમાં સફળ રહ્યું છે.. તેને જોતા એવુ લાગે છે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) ફાયદો થશે.

નોંધનીય છે કે, કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પત્રકારોના સવાલના જવાબ આપતા ખોડલધામના ચેયરમેન નરેશ પટેલે ફરીથી ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હતો.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget