શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક મોટા સમાજે કરી પોતાના મુખ્યમંત્રીની માંગ, જાણો કોનો કોનો લિસ્ટમાં છે સમાવેશ?

સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે. 

રાજકોટ: ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી હતી. આ પછી ગઈ કાલે ક્ષત્રિય સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. હવે રાજ્યમાં વધુ એક સમાજ સામે આવ્યો છે. જેણે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે. 

રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી તેમના સમાજના બને તે માટે બંધ બારણે બેઠક મળી હતી. સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે. 

અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોર માંથી કોઈ એક મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. 

પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવા પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજમાં માગ ઉઠી છે. રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે.પી જાડેજા માગ કરી કે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. આ પ્રથમ વખત નથી. અગાઉ ખોડલધામના નરેશ પટેલ પણ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માગ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.

નરેશ પટેલે કહ્યું હતું કે, 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને. એટલુ જ નહી, નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો જે અધિકાર બને છે તેની અમે સરકારને રજૂઆત કરીશુ. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલ આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાની વાત નરેશભાઈ પટેલે કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું કે આમ તો ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવતો નથી.. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પ્રયોગોમાં સફળ રહ્યું છે.. તેને જોતા એવુ લાગે છે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) ફાયદો થશે.

નોંધનીય છે કે, કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પત્રકારોના સવાલના જવાબ આપતા ખોડલધામના ચેયરમેન નરેશ પટેલે ફરીથી ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હતો.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Embed widget