શોધખોળ કરો

Lok Sabha Election 2024: રાજકોટ બેઠક પર અનેક તર્ક-વિતર્ક , મોહન કુંડારીયાની ઉમેદવારીને લઇને ચર્ચા, જાણો તેમણે શું કહ્યુ?

Lok Sabha Election 2024: રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોહન કુંડારીયાની ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે

Lok Sabha Election 2024:  રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માંગની વચ્ચે રાજકોટ બેઠક પર ઉમેદવારને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોહન કુંડારીયાની ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સરકારી વિભાગોનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ કુંડારીયા તૈયાર કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા હોવાથી કુંડારીયા ઉમેદવારી કરે તેવી ચર્ચા શરૂ થઇ હતી. જોકે પોતાની ઉમેદવારીને લઇને મોહન કુંડારિયાએ અફવા ગણાવી હતી. પરસોત્તમ રૂપાલાને જીતાડવા પ્રયાસ કરતા હોવાનો ટેલિફોનિક વાતચીતમાં દાવો કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા નથી. તો બીજી તરફ હવે સાંસદ એવા મોહન કુંડારિયાને લઈને પણ ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને મોહન કુંડારિયાએ સર્કિટ હાઉસ સહિત સરકારી વિભાગોમાં પોતાના નામે કોઈ બિલ કે દેવું બાકી ન હોવાના સર્ટિફિકેટ અરજી કર્યાના અહેવાલો આવી રહ્યા છે. કેમ કે કોઈ જન પ્રતિનિધિ ફરી એકવાર ચૂંટણી લડતો હોય ત્યારે ઉમેદવારી કરતા સમયે નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર રાખતા હોય છે. ત્યારે મોહન કુંડારિયાએ નો ડ્યુ સર્ટિફિકેટ ક્યાંક ઉમેદવારી કરવા માટે તો નથી તૈયાર કરી રહ્યાને તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરવાને લઈ ઉમેદવારી સાથે કઈ પણ લેવા દેવા ન હોવાની મોહન કુંડારિયાએ abp અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં વહેતી થયેલી વાતોને અફવા ગણાવી મોહનભાઈએ પરસોત્તમ રુપાલા પક્ષના ઉમેદવાર છે ત્યારે તેમને મોટી લીડથી જીતાડવાની તૈયારી કરી હોવાનો દાવો કર્યો હતો.

બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્હીના પ્રવાસે જશે. રૂપાલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જશે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget