શોધખોળ કરો

રાજકોટઃ 50 વર્ષના પૂરૂષને 40 વર્ષની મહિલા સાથે હતા સંબંધ, મહિલાના ભાઈઓને હતો વાંધો ને.....

પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થતાં થયું છે.

રાજકોટઃ રાજકોટમાં 50 વર્ષના પુરૂષને 40 વર્ષની મહિલા સાથે સંબંધ બંધાયા હતા. આ આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો છે અને પ્રેમિકાના બે ભાઈઓએ પુરૂષની હત્યા કરી નાંખી છે. જેની હત્યા થઈ તે પૂરૂષ ચાર સંતાનોનો પિતા છે. તેની પ્રેમિકાનો પતિ ઘરે નહીં રહેતો હોવાથી પ્રેમિકા તેના તરફ આકર્ષાઈ હતી. બંને પ્રેમિકાના ઘરે જ મળતાં અને રંગરેલિયાં મનાવતાં હતાં. આ ઘટનાની વિગત એવી છે કે, ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટી-૧૧માં રહેતા રાજેશ બચુભાઈ ચૌહાણ પર બુધવારે રાત્રે તેને જેની સાથે આડો સંબંધ હતો તે મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થતાં થયું છે. રાજેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતા. ત્રણેય પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો પુત્ર હજુ અપરિણીત છે. રાજેશભાઈને છેલ્લા દસેક વર્ષથી માયાણીનગર આવાસ યોજનાનાં ક્વાર્ટરની પાછળ આવેલા નહેરૂનગર-૩માં રહેતાં સુધા જગદીશ પરમાર (40 વર્ષ) સાથે પ્રેમસંબંધ હતો. સુધાનાં બે ભાઈઓ રજનીશ ધીરૂ સોઢા અને રાહુલ ઉર્ફે લાલાને આ સંબંધ પસંદ નહીં હોવાથી રાજેશભાઈને બેથી ત્રણ વખત ઠપકો આપી પોતાની બહેન સાથે સંબંધ નહીં રાખવા ચેતવણી આપી હતી. ગઈકાલે રાત્રે રાજેશભાઈ સુધાને મળવા માટે તેનાં ઘરે ગયો હતો. માયાણીનગર ક્વાર્ટરમાં રહેતો સુધાનો ભાઈ રજનીશ તેમને જોઈ ગયો હતો. રજનીશ અને રાહુલે રાજેશભાઈને આંતરીને ગાળો ભાંડયા બાદ તેની ઉપર લાકડી અને પાઈપ વડે હુમલ કર્યો હતો. આસપાસનાં લોકો ભેગા થઈ જતાં બંને ભાઈઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ કોઈએ રાજેશભાઈનાં પરિવારના સભ્યોને જાણ કરતાં જમાઈ વિજય કેશુભાઈ પરમાર, પુત્રી તેજલ અને પત્ની જ્યોત્સનાબેન ત્યાં દોડી આવ્યા હતા અને સિવિલ ખસેડયો હતો. બુધવારે સાંજે રાજેશભાઈએ સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પીઆઈ ભૂકણે જણાવ્યું કે, સુધાબેનને સંતાનમાં એક પુત્રી છે અને પુખ્ત વયની છે. સુધાબેનનો પતિ ઘરે બહુ રહેતો નથી. રાજેશભાઈને પગમાં ફ્રેક્ચર હતું છતાં તેનું મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોત પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget