![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RAJKOT : PGVCLની બેદરકારીને કારણે ત્રણ ભેંસોના મોત, પશુપાલકોમાં રોષ
Rajkot News : ગામડાઓમાં તાર તૂટી જાય કે સબ સ્ટેશન બળી જાય, તાત્કાલિક રીપેરીંગ કરવામાં ન આવતા આવી દુર્ઘટનાઓ થાય છે.
![RAJKOT : PGVCLની બેદરકારીને કારણે ત્રણ ભેંસોના મોત, પશુપાલકોમાં રોષ Rajkot News Three buffaloes died due to electrocution in Rajkot RAJKOT : PGVCLની બેદરકારીને કારણે ત્રણ ભેંસોના મોત, પશુપાલકોમાં રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/80d011b31cb8044a835df275e0775eb41658764187_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot : રાજકોટ ગ્રામ્ય પીજીવીસીએલના રોણકી સબ ડિવિઝનની બેદરકારીના કારણે ત્રણ ભેંસોએ જીવ ગુમાવ્યો.તૂટેલા તાર રીપેર કરવા માટે ખેડૂતે 23-7-2022 ના રોજ પીજીવીસીએલને અરજી કરી હતી.તાર રીપેર ન કરતા ત્રણ ભેંસોના શોર્ટ લાગવાથી મોત થયા. રાતૈયા ગામના નવઘણભાઈ ટોળીયાની બે ભેંસો અને અશોકભાઈ વાલજીભાઈની એક ભેંસનું મૃત્યુ થયું.
ગામડાઓમાં તાર તૂટી જાય કે સબ સ્ટેશન બળી જાય પરંતુ તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા રીપેરીંગ કરવામાં ન આવતા આવી દુર્ઘટનાઓ થાય છે.
સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસની કહેર યથાવત છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. ગામડાઓમાં લમ્પી વાઇરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લાના 26 ગામડામાંથી 172 ગાયમાં લંપીના લક્ષણો જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની જપટે ચડ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સિનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લંપી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની કવાયત હાથ ધરી છે.
કેરળમાં મંકિપોક્સનો ત્રીજો કેસ
કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ 16 જુલાઈના રોજ UAEથી મલપ્પુરમ આવ્યો હતો. તાવની ફરિયાદ બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં મંકીપોક્સના ચેપના લક્ષણો દેખાવા લાગ્યા. હાલમાં દર્દીના પરિવાર અને તેના સંપર્કમાં આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે.
તાત્કાલિક પગલાં લેતા કેરળ સરકારે 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે રાજ્યના ચારેય એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ 13 જુલાઈના રોજ દુબઈથી કન્નુર પહોંચેલા 31 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ ચેપનો બીજો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ 18 જુલાઈએ થઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)