શોધખોળ કરો

Protest: શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન, વાલીઓનું ટોળુ સુત્રોચ્ચાર સાથે FRC કચેરી પહોંચ્યું

આજે સવારથી જ રાજકોટમાં એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

Rajkot: રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં પ્રદર્શન આજે જોરદાર પ્રદર્શન જોવા મળ્યુ હતુ, વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા હતા. 

આજે સવારથી જ રાજકોટમાં એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. શહેરમાં અલગ-અલગ સ્કૂલોમાં ફી વધારાને લઇને વાલીઓનું ટોળું હાથોમાં બેનરો સાથે સુત્રોચ્ચાર સાથે એફ આર સી કચેરી પહોંચ્યુ હતુ.


Protest: શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન, વાલીઓનું ટોળુ સુત્રોચ્ચાર સાથે FRC કચેરી પહોંચ્યું

રાજકોટ એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. FRCના સભ્ય અજયભાઈ પટેલે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં અનેક શાળાઓની ફી વધારાની દરખાસ્ત આવી છે. સૌરાષ્ટ્ર ઝૉનની 5500માંથી 250 સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવ્યો, ફી વધારા મુદ્દે અલગ બાબતોની તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં જે વધારો કર્યો હોય તે શાળાએ વિદ્યાર્થીઓ ને ફી પરત આપવી પડશે. હાલમાં વાત છે કે, રાજકોટમાં ચાર કે પાંચ શાળાઓએ ફી વધારો કર્યો છે. ફી વધારો આપવામાં આવ્યો નથી છતાં અમુક શાળાઓ ફી વધારો કરી દીધો છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શાળાઓ પ્રૉવિજનલ ફી લઈ શકે છે.

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી જાહેર

છેલ્લા કેટલાય દિવસથી ચાલતી અટકળોને હવે અંત આવ્યો છે. છેવટે હવે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટની ચૂંટણીને જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી આગામી ૨૨ જુલાઇએ યોજાશે. માહિતી પ્રમાણે, 22 જુલાઇએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટ ચૂંટણી ૯ બેઠકો માટે યોજાશે. આ સેનેટ ચૂંટણી ગ્રામિધાશાખા ૧, પરફૉર્મિંગ આર્ટસ ૧, આર્કિટેક્ચર ૧, માધ્યમિક શાળાના શિક્ષકોની ૨ અને આચાર્યોની ૨ મળીને કુલ ૯ બેઠક માટે યોજાશે. આને લઇને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. આ પહેલા નિયત સમયે ચૂંટણી ના યોજતા પૂર્વ સિન્ડીકેટ સભ્યોનું જૂથ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું, હાઇકોર્ટમાં આજે હિયરીંગ થાય તે પહેલા યુનિવર્સિટીએ ચૂંટણી જાહેર કરી દીધી છે.આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ, શું છે કૌભાંડનો મામલો

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં આત્મીય યૂનિવર્સિટીમાંથી ઉચાપત મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપત થયાની ફરિયાદ નોંધાઇ છે, આ 33 કરોડની ઉચાપતને લઇને આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ સહીતના બીજા કેટલાક લોકો વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટી વિવાદોમાં આવી છે, આ વખતે ઉચાપતની ફરિયાદના કારણે વિવાદમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આણંદના બારકોલમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ ઉચાપત થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમને આત્મીય યૂનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભદાસ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વેશાખીબેન જીવાણી અને નિલેશ મકવાણા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં ચાલતી સંસ્થામાં 33 કરોડ રૂપિયાની ઉચાપતમાં બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. હરિધામ સોખડાના સ્વામી હરીપ્રસાદ દાસજીના અવસાન બાદ તમામ ટ્રસ્ટોમાં મોટી નાણાકીય ગરબડ આચરીને મોટી ઠગાઈ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકા પોલીસમાં આત્મીય યૂનિવર્સિટીના સાધુ ટીવી (ત્યાગ વલ્લભ સ્વામી) ધર્મેશ જીવાણી, વેશાખી ધર્મેશ જીવાણી વિરુદ્ધ ફરિયાદ થતા ભારે ચર્ચા જાગી છે, તેમને ડમી કંપની ઉભી કરી કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે. 

ખાસ વાત છે કે, આ આત્મીય યૂનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ફરિયાદી પવિત્ર જાની હરીપ્રસાદ સ્વામીના તાબામાં તેઓએ સન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષ હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા છે, આત્મીય ટ્રેક ઉત્કૃષનું ભૂતિયું ખાતું ખોલાવ્યું હતું, આત્મીય યૂનિવર્સિટીના કર્તાહર્તા ટીવી સ્વામી સહિત ચાર વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
Advertisement

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Embed widget