શોધખોળ કરો

PM Surya Ghar Muft Bijli Yojana: સોલાર રૂફટોપ સ્કિમને મળી મંજૂરી, 78,000 રૂપિયાની સબસિડી આપશે સરકાર

Cabinet Decisions : 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના વ્યાજ દરે કોલેટ્રલ ફ્રી લોન લઈ શકશે.

PM Surya Ghar Muft Bijli Yojana: સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 75,021 કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. જે  1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપશે.

78000 રૂપિયા સુધીની સબસિડી મળશે

આ યોજના હેઠળ, 2 કિલોવોટ સિસ્ટમના રહેણાંક રૂફટોપ સોલાર માટે, સિસ્ટમની કુલ કિંમતના 60 ટકા કેન્દ્રીય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 2 થી 3 કિલોવોટ સિસ્ટમની કિંમતના 40 ટકા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર જ નાણાકીય સહાયની જોગવાઈ હશે. આનો અર્થ એ થયો કે સરકાર 1 kW સિસ્ટમ પર રૂ. 30,000, 2 kW સિસ્ટમ પર રૂ. 60,000 અને 3 kW સિસ્ટમ પર રૂ. 78,000 સુધીની સબસિડી આપશે.

રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સસ્તી લોન મળશે

તમારા ઘરે રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી મેળવવા માટે, તમારે રાષ્ટ્રીય પોર્ટલ પર અરજી કરવી પડશે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે વેન્ડરની પસંદગી  કરવી પડશે. અરજદારોને નિર્ણયો લેવાનું સરળ બનાવવા માટે સિસ્ટમના કદ, લાભ કેલ્ક્યુલેટર અને વેન્ડર રેટિંગની માહિતી રાષ્ટ્રીય પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તેમના ઘરે 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના પોસાય તેવા વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન લઈ શકશે.

કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, ઘરો વીજળીના બિલ બચાવી શકશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને પૈસા કમાઈ શકશે. 3 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સરેરાશ 300 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ યોજના દ્વારા રહેણાંક ક્ષેત્રમાં 30 ગીગાવોટ સોલાર ક્ષમતા ઉભી કરી શકાય છે. 1000 BU વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને 720 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને આગામી 25 વર્ષમાં રૂફટોપ સોલાર સિસ્ટમના જીવનકાળમાં ઘટાડી શકાય છે.

17 લાખ લોકોને રોજગાર મળશે

સરકારે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, 17 લાખ ડાયરેક્ટ જોબ મેન્યુફેકચરિંગ, લોજિટિક્સ, સપ્લાય ચેન,સેલ્સ, ઇન્ટોલેશન, એએન્ડએમ અને બીજી સર્વિસિઝ પેદા કરી શકાય છે.જે લોકો આપના ઘર પર રૂફ ટોપ સોલાર લગાવવામાં ઇચ્છે છે. https://pmsuryaghar.gov.in પર જઇને રજિસ્ટ્રર કરાવવું પડશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20 Score Live: ઈંગ્લેન્ડ 132 રનમાં ઓલ આઉટ, વરુણ ચક્રવર્તિની 3 વિકેટ
IND vs ENG 1st T20 Score Live: ઈંગ્લેન્ડ 132 રનમાં ઓલ આઉટ, વરુણ ચક્રવર્તિની 3 વિકેટ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળLadani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદનJalgaon Train Accident: આગની અફવા સાંભળીને મુસાફરોએ ટ્રેનમાંથી મારી છલાંગ, 8ના મોત, 40 લોકો ઘાયલMaha Kumbh 2025: CM યોગીએ 54 મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20 Score Live: ઈંગ્લેન્ડ 132 રનમાં ઓલ આઉટ, વરુણ ચક્રવર્તિની 3 વિકેટ
IND vs ENG 1st T20 Score Live: ઈંગ્લેન્ડ 132 રનમાં ઓલ આઉટ, વરુણ ચક્રવર્તિની 3 વિકેટ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
JDUનું મણિપુરમાં  ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
JDUનું મણિપુરમાં ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Embed widget