![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિહારમાં યુવક-યુવતીને બંધાયા સંબંધ, લગ્ન કરીને આવ્યાં સુરત, પછી અચાનક શું થયું કે બંનેની લાશ મળી ?
બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
![બિહારમાં યુવક-યુવતીને બંધાયા સંબંધ, લગ્ન કરીને આવ્યાં સુરત, પછી અચાનક શું થયું કે બંનેની લાશ મળી ? A couple dead body found from Surat, police start inquiry બિહારમાં યુવક-યુવતીને બંધાયા સંબંધ, લગ્ન કરીને આવ્યાં સુરત, પછી અચાનક શું થયું કે બંનેની લાશ મળી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/3fa2548d58c4bc37287866163660759b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ મૂળ બિહારના પતિ પત્નીની કોહવાયેલી લાશો મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે.બે મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા. બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પાંડેસરા જય અંબે નગર વિસ્તારની આ ઘટના છે. બંધ ઘરમાં કોહવાયેલી હાલતમાં પતિ પત્નીની લાશો મળી હતી. રણજિત શાહ અને સુશીલાબેન શાહની લાશ મળી હતી. પત્ની મૃત હાલતમાં નીચે પડી હતી, જ્યારે પતિ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. 2 થી 3 દિવસ અગાઉની લાશ હોવાનું અનુમાન છે.
દુર્ગંધ મારતા સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ભાડાના ઘરમાં રહેતા હતા દંપતી. 3 મહિના પહેલા જ વતનથી સુરત આવ્યા હતા. પોલીસે ફોરેન્સિક PM માટે લાસ સિવિલમાં મોકલી છે. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા છે.
ઉત્તરપ્રદેશના ગૌંડામાં પોલીસે 8 વર્ષની માસૂમ બાળકની હત્યા કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ 23 નવેમ્બરે પિતરાઈ ભાઈની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.
ક્યાંની છે ઘટના
ગોંડા જિલ્લાના પરસુપર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતાં પંડિતપુરવા વિસ્તારનો આ મામલો છે. અહીંયા 8 વર્ષીય બાળકે તેના પિતરાઈ ભાઇને તેની પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધો હતો. જે બાદ તેણે બાળકને ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધું હતું.
આરોપીએ હત્યા બાદ બોડી બેડમાં છુપાવી
પોલીસના કહેવા મુજબ, આરોપીએ બાળકને પહેલા તેની પાસે બોલાવ્યો અને ટોફી તથા નમકીન આપીને ફોસલાવીને તેને પોતાની બાજુમાં જ સુવરાવી દીધો. રાતે જ્યારે સન્નાટો છવાઈ ગયો ત્યારે તેણે ગળું દબાવીને હત્યા કરી નાંખી અને શબને બેડના ખાનામાં છૂપાવી દીધો. જે બાદ સવારે કોઈને ખબર ન પડે તેમ શબ શેરડીના ખેતરમાં ફેંકી દીધું,
આરોપીએ શું કરી કબૂલાત
પોલીસે જ્યારે બનાવની તપાસ શરૂ કરી ત્યારે તેમાં દુર્ગેશનું નામ આવ્યું. જેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, ઘરની પાછળ પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં તે જોઈ ગયો હતો. તે આ વાત કોઈને જણાવી ન દે તેવો ડર લાગતાં રાત્રે ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)