![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....
Gujarat Election 2022: આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાંઆપની સરકાર બની રહી છે.
![Gujarat Election 2022: લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં.... Gujarat Assembly Election 2022: Arvind Kejriwal claims this time AAP to form government in Gujarat Gujarat Election 2022: લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/bf82e8d7315a9314419d4830f75bf5f6166953210609176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVE https://t.co/EAKRzWcmxa
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 27, 2022
ભાજપ બોખલાયેલી છે
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJP બોખલાયેલી છે, હુમલા કરવામાં આવે છે. રસ્તા પર જાવ અને પૂછો કોને વોટ આપશો ? કોઈ કહે BJP, કોઈ કહે આપ, જે BJP ની વાત કરે એની સાથે 5 મિનિટ વાત કરો. એ પણ કહે આપને વોટ આપીશું. ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે લોકો ડરેલા છે, આપને વોટ આપીશું એમ કહેતા ડરે છે. કોંગ્રેસનું નામોનિશાન નથી.
27 વર્ષના કુસાશન બાદ લોકોને રાહત મળશે. ગુજરાતના સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે આપની સરકાર બનશે તો 31 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પેંશન સ્કીમ લાગુ કરવામાં આવશે. પોલીસ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ,અર્ધ સરકારી,તલાટી સહિત ના લોકો નો ગ્રેડ પેની સમસ્યા છે આ તમામને આશ્વાસન આપીએ છીએ કે અમે તમામ કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું.
મારી આગાહી સાચી પડી
દિલ્હીના સીએમએ કહ્યું, મારી આગાહી સાચી પડી. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી જશે, બાદલ સાહેબનો આખો પરિવાર હારી જશે. એટલા માટે આજે હું તમારા બધાની સામે એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. વિવિધ ચેનલો પૂછે છે. મને, તેની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તમારે આજે આ વાતની નોંધ લેવી જોઈએ.
સી.આર.પાટીલે અચાનક લીધી બોટાદની મુલાકાત, અનેક તર્કવિતર્ક
આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અચાનક બોટાદની મુલાકાત લીધી. બોટાદ RTO હેલિપેડ ખાતે ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યુ હતું.
સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બોટાદના સાળંગપુર રોડપર આવેલી ખાનગી હોટલમાં તેમણે બેઠક કરી હતી.
ગુજરાતમાં ક્યારે છે મતદાન
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)