શોધખોળ કરો

નારાયણ સાઈ રેપ કેસઃ સરકારી વકીલે શું કરી દલીલ? કેટલી સજાની કરી માંગ? જાણો વિગત

નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કરીને હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ. સરકારી વકીલે પીડિતાને 25 લાખ આપવાની માંગ કરી હતી.

સુરતઃ આજે સાધિકા પર બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટ નારાયણ સાઇ સહિત પાંચ આરોપીઓને સજા સંભળાવશે. આ પહેલા બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદી સાધિકા નારાયણ સાઈના કસ્ટડીમાં ન હતી. સાધિકા ગમે ત્યાં જવા માટે ફ્રી હતી. એવો કોઈ રેકોર્ડ નથી કે પીડિતા પર ફોર્સ ફૂલી રેપ કરવામાં આવ્યા હોય. વકીલે દલીલ કરી હતી કે, સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. બીજી તરફ સરકારી વકીલ પીએન પરમારે દલીલ કરી હતી કે, નારાયણ સાઈ ધર્મના ઉચ્ચ સ્થાન પર બીરાજી ઉપદેશ આપતા હતા. વાડ ચીભળા ગળે તો બીજાનું કહેવું શું? પ્રભાવશાળી હોદ્દા પર બીરાજમાન લોકો ગુનો કરે તો તેને આકરી સજા થવી જોઈએ. નારાયણ સાઈ દ્વારા લખવામાં આવેલ પત્ર તેમના વકીલે વાંચી પાછો નારાયણને પરત કર્યો હતો. આરોપીને સજા કરવાનો મુખ્ય હેતુ સમાજમાં ગુના બનતા અટકાવવા આવા ગુના વારંવાર ન થાય એ માટે વધુમાં વધુ સજા થવી જોઈએ, તેવી દલીલ કરી સરકારી વકીલે દેસભરમાં દુષ્કર્મની ઘટનાના આંકડા જણાવ્યા હતા. 2010 - 22172 કેસ 2011 - 24206 કેસ 2012 - 24923 કેસ 2013 - 33707 કેસ 2014 - 34651 જેટલા દુષ્કર્મના કેસો નોંધાયા હતા.. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. આરોપી અને પિતાના સેંકડો આશ્રમો છે..લાખોની સંખ્યામાં તેમના અનુયાયી છે. આશ્રમોમાં આવા કૃત્ય થાય તો કોઈ જવા તૈયાર નહીં થાય. આરોપીના આ પ્રકારના કૃત્યએ અસંખ્ય લોકોની આસ્થા પર ઘા કર્યો છે. ગુરુનું સ્થાન ભગવાન કરતા મોટું અને પિતા કરતા પણ પૂજ્ય સ્થાને.તે જો આવું કૃત્ય કરે તો તેના માટે કોઈ દયા બતાવી શકાય નહીં. નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કરીને હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ. 42 પોટલાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમ્યાન લાંચ આપવાની રકમ પણ કબ્જે કરાઈ હતી. સરકારી વકીલે પીડિતાને 25 લાખ આપવાની માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget