Solar Scheme: સુરત શહેરનાં 4 લાખ ઘરો પર લાગશે સોલાર પેનલ, DGVCLને ટાર્ગેટ આપવામાં આવ્યો
વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યાં છે. જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે.

Surat News: સુરત શહેરનાં 4 લાખ ઘરો પર લાગશે સોલાર પેનલ. આ માટે DGVCL-સોલાર એસો.એ કવાયત હાથ ધરી છે. DGVCLને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ના નિર્ધાર સાથે DGVCL-સોલાર એસો.ની કવાયત. અત્યાર સુધીમાં 44,600 ઘરો પર સોલાર પેનલ ફિટ કરી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે સરકાર દ્વારા ડીજીવીએલને 4 લાખ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યાં છે. જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે. દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા વડાપ્રધાન મોદી દ્વારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ અને એમજીવીસીએલ સહિતના દેશના તમામ ડિસ્કોમને અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દેશના 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ અંગે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે અને તેના નિયમો શું છે.
પીએમ મોદીએ આ જાણકારી આપી
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની ઘોષણા કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આ ઠરાવમાંથી પોસ્ટ કરીને વધુ વિસ્તરણ કર્યું કે ભારતીયોએ તેમના ઘરો પર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ. અયોધ્યાથી પાછા ફર્યા પછી, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર આ યોજના શરૂ કરશે. 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ તે ભારતને ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનાવશે.
યોજના હેઠળ કોને લાભ મળશે?
દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થવા જઈ રહી છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવારોની આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે. હાલમાં એક કરોડ લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે. સોલાર પેનલ લગાવ્યા બાદ લોકોને વીજળીના બિલના ટેન્શનમાંથી મુક્તિ મળશે. જે રાજ્યોમાં વીજળી ઘણી મોંઘી છે ત્યાંના લોકોને આ યોજનાનો સૌથી વધુ ફાયદો થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
