શોધખોળ કરો
સુરતમાં શાકભાજીનો વેપારી કોરોનાની ઝપેટમાં આવ્યો, કેટલા લોકોને કરાયા કોરેન્ટાઈન? જાણો
સુરતા સરદાર માર્કેટ સાથે સંકળાયેલા 13થી વધુ વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે સમગ્ર સુરતમાં શાકભાજી વેચનારા 25થી વધુ ફેરિયાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં શાકભાજીનો વેપારી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. અત્યારે સુધીમાં સુરતના સરદાર માર્કેટ સાથે સંકળાયેલા 13થી વધુ વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે જ્યારે સમગ્ર સુરતમાં શાકભાજી વેચનારા 25થી વધુ ફેરિયાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સુરતના પરવટ ગામમાં આવેલી કૃષ્ણ કૃપા સોસાયટીમાં રહેતો યુવક શાકભાજીને વેપારી છે જે સરદાર માર્કેટમાં શાકભાજીનો વેન્ડર હતો જોકે શાકભાજી વેચતાં તે યુવક કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ત્યારે તેમના સંપર્કમાં આવેલા 6 લોકોને પણ હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોડાદરાના કેશવનગરના શાકભાજી વિક્રેતાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કૈલાસના પરિવારના 4 લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરતા સરદાર માર્કેટ સાથે સંકળાયેલા 13થી વધુ વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે સમગ્ર સુરતમાં શાકભાજી વેચનારા 25થી વધુ ફેરિયાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















