શોધખોળ કરો

Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા

રાજ્યના વડોદરા જિલ્લામાં સરકારની મનરેગા યોજનામાં એક કૌભાંડનો ખુલાસો થયો છે

રાજ્યના વડોદરા જિલ્લામાં સરકારની મનરેગા યોજનામાં એક કૌભાંડનો ખુલાસો થયો છે. જિલ્લાના સમસાબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા મહિલાનું જોબકાર્ડ બનાવી 75 દિવસની માસ્ટર રોલમાં હાજરી પૂરી 17 હજારથી વધુ રૂપિયાનું મહેનતાણું પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં મૃતકના પરિવારની જાણ બહાર જ ATMમાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. જોકે રૂપિયા ઉપાડ્યાનો મેસેજ મૃતકના પુત્રને જતા તે પણ ચોંકી ઉઠ્યો હતો. હાલ તો મૃતકના પુત્રએ આ મુદ્દે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે.

નોંધનીય છે કે મૃતક ગંગાબેન પાટણવાડીયાનું 15 ફેબ્રુઆરી 2022માં અવસાન થયું હોવા છતા કૌભાંડીઓએ તેમના નામનું જોબકાર્ડ બનાવ્યું હતું. આ સાથે તેમના નામના મસ્ટરમાં 75 દિવસ સુધી હાજરી પણ દર્શાવવામાં આવી હતી. તેમના મહેનતાણાની રકમ 17 હજાર 925 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી.. બાદમાં આ રકમ મનરેગાના અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ મારફતે ઉપાડી લીધી હતી. કૌભાંડીઓએ સ્વ. ગંગાબેનનું જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીઓને બતાવવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઈ લીધું હતું. ત્યારબાદ પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી.

આ કૌભાંડની તપાસ માટે અરજદારે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપાઈ હતી. જેને કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિતનાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આખા કૌભાંડની વિગતો જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ TDO સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી નાંખી અને બદલી પહેલા આ કૌભાંડ અંગે સરકાર પક્ષે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. DDOની સૂચનાને પગલે TDOઓએ શનિવારના વરણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં વરણા પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી હતી.


કૌભાંડીઓએ  સ્વ. ગંગાબેનનુ જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લીધું હતું. જેનાથી ગંગાબેનના એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી. દરમિયાન આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતાં તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી. જેમાં તેઓએ પણ કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિત અન્ય ને બચાવવાના પ્રયાસો કર્યાં હતાં.

સમસાબાદના મનરેગા યોજના કૌભાંડની રજૂઆત જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ સહિત ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા. જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં કરી હતી. તેઓને છૂટા કરતાં પહેલાં સમસાબાદની તપાસ કરી ફરિયાદ દાખલ કરાવવા માટે સૂચના આપતા તેઓએ શનિવારે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વરણામાં પોલીસ સ્ટેશનમાં  તાલુકા વિકાસ અધિકારી માધુરી કંચનભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, સમસાબાદમાં જોબકાર્ડ ધારકોને જૂન- ડિસેમ્બર 2022ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે મસ્ટરો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. મસ્ટરોમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. દરમિયાન એક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાના ખાતામાં રેગ્યુલર નાણાં જમા કરાવવામાં આવતા હતા.

75 દિવસની હાજરીના નાણાં ખાતામાં જમા કર્યાં

ગંગાબેન પાટણવાડીયાનું ફેબ્રુઆરી, 2022 અવસાન થયું હતું. સામાન્ય સંજોગોમાં શ્રમિકનુ મૃત્યુ થયા બાદ તેનું જોબકાર્ડ રદ્દ કરાવવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં યોજનામાં મૃતકનું નામ ચાલુ હતું. તેના મસ્ટર રોલમાં 75 દિવસની હાજરી પણ પુરવામાં આવી હતી. તેના અનુસંધાને મહેનતાણા પેટે તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 17,925 જમા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન, મનરેગા યોજના હેઠળ બેન્ક ખાતામાં જમા થયેલા વેતનની રકમ વાસણા ભાયલી રોડ પર આવેલા બેન્કના ATM મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. વરણામાં પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ભેજાબાજ સામે મથકમાં રૂપિયા 17,925ની ઉચાપત મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget