શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યાં બે મહત્વનાં પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓના પ્રવેશ પર ફરમાવાયો પ્રતિબંધ? ક્યાં સુધી થશે અમલ?
કોરોનાની દહેશત વધતાં સાવચેતીનાં પગલાંરૂપે વડોદરા રેન્જના જાબુધોડા અને રતન મહાલમાં હવે પ્રવાસીએ નહીં જઈ શકે
ગાંધીનગરઃ ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો પણ સાવચેતીનાં પગલાં ખાતર ગુજરાત સરકારે સંખ્યાબંધ પગલાં લીધાં છે. આ પગલાંના ભાગરૂપે કોરોના ફેલાતો અટકાવવા વડોદરા રેન્જમાં આવતા જંગલમાં પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવામા આવ્યો છે.
વડોદરા રેન્જમાં જાંબુઘોડા અને રતન મહાલ બંને પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે. લોકો એક દિવસની પિકનિકથી માંડીને લાંબા સમયની જંગલ સફારીની મજા માણવા માટે જાંબુઘોડા અને રતન મહાલ આવે છે. જો કે કોરોનાની દહેશત વધતાં સાવચેતીનાં પગલાંરૂપે વડોદરા રેન્જના જાબુધોડા અને રતન મહાલમાં હવે પ્રવાસીએ નહીં જઈ શકે. વન્ય જીવો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે. બુધવાર ને 17 માર્ચથી આ પ્રતિબંધ અમલી બન્યો છે. 29 માર્ચ સુધી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement