PM Modi Vadodara Visit: અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
Vadodara:C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહ્યા છે અને અન્ય 40 ભારતમાં બનાવવામાં આવશે

Background
Vadodara સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતના વડોદરાની મુલાકાત લેશે. જ્યાં PM મોદી સ્પેનના વડાપ્રધાન સાથે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન માટે વડોદરાવાસીઓએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
આ ફેક્ટરીમાં સ્પેનની ભાગીદારી
જો આપણે C295 એરક્રાફ્ટ ફેક્ટરીના નિર્માણ વિશે વાત કરીએ તો તે Tata Advanced Systems Limited (TASL) કેમ્પસમાં બનાવવામાં આવી છે. C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહ્યા છે અને અન્ય 40 ભારતમાં બનાવવામાં આવશે. Tata Advanced Systems Limited પર ભારતમાં આ 40 વિમાનોના ઉત્પાદન માટેની જવાબદારી છે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે.
ભારત માતા સરોવરનું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું, રાજ્યના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે અવસર મળ્યો છે. આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. PM મોદીએ વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉપયોગી સાબિત થશે.
PM મોદીએ આપી વિકાસ કાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમરેલી જિલ્લાને પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે
#WATCH | Prime Minister Narendra Modi launches various development works at Lathi in Amreli district, Gujarat. pic.twitter.com/1saTBu1r7S
— ANI (@ANI) October 28, 2024





















