![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્વામીનારાયણ સંપ્રદાયના ક્યા મોટા સાધુએ 40 વાર પોતાની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની યુવાન શિષ્યે કરી ફરિયાદ ?
સ્વામીના અત્યાચારના ભોગ બનેલા વલ્લભ સ્વામીએ 32 પાનાની પત્રિકા તથા વિડીયો વાયરલ કરીને ખળભળાટ મચાવ્યો હતો.
![સ્વામીનારાયણ સંપ્રદાયના ક્યા મોટા સાધુએ 40 વાર પોતાની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની યુવાન શિષ્યે કરી ફરિયાદ ? Swaminarayan Sadhu present in Karjan Police station , file police complaint સ્વામીનારાયણ સંપ્રદાયના ક્યા મોટા સાધુએ 40 વાર પોતાની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની યુવાન શિષ્યે કરી ફરિયાદ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/12182302/Karjan-police-station.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ વડતાલ મંદિરમાં ભૂતપૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાના આક્ષેપ સાથે તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ પોલીસ સામે હાજર થઈને ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચ્યો છે.
વલ્લભ સ્વામીએ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી અને તેમના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપ સ્વામી, પાર્ષદ રણછોડ ભગત, વિવેક વલ્લ ભસ્વામી, રસીક વલ્લભ સ્વામી, નિષ્કામ સ્વામી અને દર્શન વલ્લભ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપી છે.
સ્વામીના અત્યાચારના ભોગ બનેલા વલ્લભ સ્વામીએ 32 પાનાની પત્રિકા તથા વિડીયો વાયરલ કરીને ખળભળાટ મચાવ્યો હતો. સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી પણ આપી હતી પણ પોલીસે ભોગ બનેલ વ્યક્તિ રૂબરૂ હાજર થાય તોજ ફરિયાદ નોંધવાનું વલણ અપનાવતાં શુક્રવારે વેદાંન્ત વલ્લભસ્વામીએ સત્સંગીઓના સહારે 100 દિવસ બાદ બહાર નિકળીને વડોદરા પાસેના કરજણ પોલીસ મથકે પહોંચી જઇને ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેઓના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપસ્વામી, પાર્ષદ રણછોડભગત, વિવેકવલ્લભસ્વામી, રસીક વલ્લભસ્વામી, નિષ્કામસ્વામી અને દર્શન વલ્લભસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપતા જ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.
વેદાંન્ત વલ્લભદાસે કંડારી ગુરૂકુળના કાર્યક્ષેત્રમાં આવતા કરજણ પોલીસ મથકે જઇ ગુરૂ ઘનશ્યામસ્વામી સહીત પાપના ભાગીદાર એવા સહયોગી મદદગારી સંતો, પાર્ષદ વિરુદ્ધ ફરીયાદમાં જણાવ્યુ છે કે 2013થી 2019 સુધીમાં ઘનશ્યામ શાસ્ત્રીએ લગભગ 35થી 40 વખત સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું.
અરજીમાં આક્ષેપ છે કે, આણંદ જિલ્લાના નાવલી ગામે આવેલ સ્વામિનારાયણ સંસ્કારપીઠ નાવલી ગુરૂકુળ, વડોદરા પાસેના કંડારી ગુરૂકુળ, સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામે આવેલા લોયાધામ મંદિર, ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિર, મહેસાણા ખાતે એક હરિભગતના ઘરે રાત્રી રોકાણ સમયે, ધાંગધ્રા ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સતત શિબીર દરમિયાન, જેતપુર ખાતે અમૃત મહોત્સવ દરમિયાન એકપ્રાઇવેટ ફાર્મ હાઉસમાં અકુદરતી કૃત્યનો અત્યાચાર ગુજાર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)