શોધખોળ કરો

વડોદરામાં મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના 

વડોદરામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણવી વચ્ચે સગીરા પર મોડી રાત્રે શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા : વડોદરામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણવી વચ્ચે સગીરા પર મોડી રાત્રે શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળી આવ્યા છે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે માથાકૂટ કરી હતી. 

એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતીના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા SPના  જણાવ્યા મુજબ, સગીરા પોતાના મિત્રને 11.30 વાગ્યે મળી હતી. સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી.  બાદમાં રાત્રે 12 વાગ્યે બે બાઈક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા હતા.  તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી.  તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો.

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મના  મામલે એસપી રોહન આનંદે નિવેદન આપતા વધુમાં કહ્યું કે,  આ પીડિતા ગરબા રમવા નહોતી ગઈ.  મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી. આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી. 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા. 5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પરપ્રાંતિય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે. આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા. આ ઘટના ખૂબ જ ગંભીર છે. જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે. શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે. ઘટના સ્થળેથી દાગીના અને આરોપીઓના મોબાઈલ અને ગેજેટ મળ્યા છે. સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી. ભાયલી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ કરાયું હતું. ગઈ કાલે મોડી રાત્રે આ ઘટના ઘટી હતી. પીડિતા મિત્ર ને 11.30 કલાકે લક્ષ્મીપુરા ખાતે મળી હતી. પીડિતા અને મિત્ર સ્ફુટી પર ગયા હતા. જેમાં 5 લોકોના ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો. સગીરા પર દુષ્કર્મ આચરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સ્થળ પર ખૂબ જ અંધારું હતું.  આ ખૂબ જ અવાવરું વિસ્તાર છે. અંધારામાં આરોપીઓના મોંઢા દેખાયા નથી. પીડિતાના માતા પિતાએ  પોલીસ  ફરિયાદ નોંધાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget