શોધખોળ કરો

Vadodara: કારને બચાવવા જતા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો, છકડાને અડફેટે લેતા 10 લોકોના મોત

દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દરજીપૂરા એરફોર્સની દિવાલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. 

સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. તમામ ઘાયલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ 11 ડેડ બોડી પણ સયાજી હોસ્પિટલમાં છે. સયાજી હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો રંજન અય્યર સહિત ડોક્ટરોનો સ્ટાફ નિદાન કરી રહ્યો છે. કલેક્ટર એ.બી ગોર એ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોની મુલાકાત લીધી. જિલ્લા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહની કોંગ્રેસમાં થશે વાપસી? જાણો શું છે મોટા સમાચાર?

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી હતી. આ સમયે અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને લઈને મોટા સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે. શંકરસિંહે કહ્યું કે,  એમને કહીશ કે આ ધંધા બંધ કરે કોઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો. 6 તારીખે વિપુલ ચૌધરી મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમાન્સ મળ્યું છે. કાયદો કાયદાનું કામ કરે છે. Nddb મામલે મેં અને અર્જુનભાઈએ વિપુલભાઈ માટે ભલામણ કેમ કરેલી એ મામલે અમારે જવાબ આપવા બોલાવ્યો છે. ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નખીરી રાખી ડબલ એન્જીન સરકાર કાર્યવાહી કરે છે. આ છમકલું છે વિપુલ ચૌધરીએ વિસનગરથી લડવાની જાહેરાત કરી અને તેના કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું હોય શકે. 

અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમાન્સ મળ્યું છે . એનો જે જવાબ જરૂર આપીશું પણ સરકારને અને જનતાને જનતા વતી જણાવવાનું છે. સહકારી સંસ્થાઓ છે, બીજેપીના બાપની મિલકત નથી. આપડા વડવાની મહેનત અને પરસેવો છે. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે. 
દૂધ સાગર ડેરી એશિયા ની સૌથી મોટી ડેરી છે. બીજેપીની કુટિલતા છે અને મલાઈ ખવાની વૃત્તિના કારણે તળિયે આવી ગઈ છે . જે સહકારી આગેવાનો છે તેને શરણે થવાની વૃત્તિ ના કારણે આ થયું છે. કાયદાથી સભાસદોને ચેરમેન નિમવાના અધિકાર છે. બીજેપી બતાવે કે ચેરમેન માટે મેન્ડેટ આપનાર તમે કોણ છો. તપાસ થાય એનો વાંધો નથી. 

વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા અને ભાઉને વફાદાર હતા. અબજો રૂપિયા એક જ સોડામાં બનેલા છે અને એ ભાઉના કહેવાથી બનેલા છે. ભાઉને એમાં ઇન્ટરફીયર કરવાનો અધિકાર નથી અને એના કારણે 75 સંસ્થા ડૂબી ગઈ છે. હું ને બાપુ વિરોધ પક્ષ નેતા હતા અને હું પ્રમુખ હતો. સહકારી પ્રવૃત્તિ જાણનારને ચેરમેન બને એવી લાગણી હતી અને અમે ભલામણ કરી છે અને એના માટે 1 નહીં 10 કોર્ટમાં જાવા તૈયાર છીએ. પોરબંદર દૂધ સંઘ એ કરેલું છે, જે તે સમયના પશુપાલન વિભાગ સંડોવાયેલું હતું. 32 કરોડના પેપર પર બનાવ્યું અને 64 કરોડ માં દૂધ સંઘને પધરાવી દીધું.

મેન્ડેટનું માન્ય રાખે છે અને કમલમમાં ભોગ ધરે છે, એટલે ચાલે છે. બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે, તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. 6 ઓક્ટોબર એ સરકારી વકીલની સૂચના થી કોર્ટનું સમન્સ આવ્યું છે. તેનો જવાબ અમે જરૂર થી આપીશું, સહકારી પ્રવૃત્તિ એ ભાજપના બાપની મિલકત નથી. દાયકાઓ બાદ સમગ્ર વિશ્વ માં અમુલ મોડેલ ખયતનામ બન્યું છે,જેમાં ભાજપ નું કે ભાજપના ભાઉ નું કોઈ ફાળો નથી. જે વડીલોએ પોતાનું જીવન સભાસદોના વિકાસ માટે કાર્યરત અને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. એશિયાની સૌથી મોટી  દૂધસાગર ડેરીનો આંતરિક વિખવાદના લીધે ડેરી પાછળ રહી છે. 65 હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતું અમુલ ની મલાઈ ખાવાની વૃત્તિ ભાજપની છે. ભજપ અને ભાઉ અમને બતાવ કે મેન્ડેટ આપનાર તમે કોણ છો?? વિપુલ ચૌધરી શરણાગતિ સ્વીકારતાં ના હતા એટલે જેલમાં ગયા. ભાઉના શરણે ના જનાર વિપુલ ચૌધરું જેલમાં ગયા છે. ભાઉના કહેવાથી અબજો રૂપિયા ભ્રષ્ટાચારના લોકોએ બનાવ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે,ડો.અમૃતા પટેલ રિટાયર્ડ થાય તેની બાદ અનુભવી ને આપો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?

વિડિઓઝ

Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Embed widget