શોધખોળ કરો

હોમ આઇસોલેશનમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને લઈને વડોદરા ભાજપે શું લીધો મોટો નિર્ણય?

કોરોના મહામારી દરમિયાન ભાજપે ટેલી મેડીસિન સુવિધા શરૂ કરી છે. ઘરે રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ડોક્ટરની સલાહ આપશે ભાજપ. ભાજપના ડોકટર સેલ અને વનઝોઈ કંપની દ્વારા સયુંકત રીતે સેવા અપાશે. વડોદરામાં સ્થિતિ બેકાબૂ થયા બાદ ભાજપ જાગી છે. 

વડોદરાઃ  ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ હોસ્પિટલો પણ ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો હોમ આઇસોલેશન (Home isolation ) માં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે વડોદરા ભાજપે ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહેલા લોકોને લઈને મોટો નિર્ણય લીધો છે. 

વડોદરામાં ભાજપ (vadodara bjp)ની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોરોના મહામારી દરમિયાન ભાજપે ટેલી મેડીસિન સુવિધા શરૂ કરી છે. ઘરે રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ડોક્ટરની સલાહ આપશે ભાજપ. ભાજપના ડોકટર સેલ અને વનઝોઈ કંપની દ્વારા સયુંકત રીતે સેવા અપાશે. વડોદરામાં સ્થિતિ બેકાબૂ થયા બાદ ભાજપ જાગી છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

 

રાજ્યમાં આજે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર  1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1  મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.

 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

અમદાવાદ કોર્પોરેશનમાં 2251,  સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ  કોર્પોરેશનમાં 529,   વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177,   બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68,  જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55,  ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા. 

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget