શોધખોળ કરો

World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને જ કેમ મનાવાય છે? જાણો કારણો ઇતિહાસ અને થીમ

વર્ષ 1972માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો

World Environment Day:દર વર્ષે, 5 જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day)તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1974 માં ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણીય જોખમો અને તેનાથી થતા નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  જાણીએ કઇ રીતે તેની શરૂઆત થઇ હતી.

પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. પર્યાવરણીય સંરક્ષણ એ આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે. તો જ લોકો આ પ્રત્યેની તેમની જવાબદારી સમજાશે

વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ (World Environment Day History)

વર્ષ 1972માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. જે પછી દર વર્ષે આ દિવસની ઉજવણી થવા લાગી. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1973 માં "ફક્ત એક પૃથ્વી" થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ (World Environment Day) આ વર્ષની (2024) થીમ

દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 'લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રૉટ રિઝિલિયન્સ' છે. વર્ષ 2023 માં, આ દિવસ 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. 5મી જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસને વનમહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પર્યાવરણ દિવસનું મહત્વ

ભારત સહિત અન્ય ઘણા દેશોમાં પ્રદૂષણની સમસ્યા જોવા મળી રહી છે. સતત વધી રહેલું પ્રદૂષણ માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ આપણી પ્રકૃતિ માટે પણ જોખમી છે. સ્વસ્થ પ્રકૃતિ માનવ જીવનનો આધાર છે. કુદરત આપણને જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, તેનું શોષણ આપણા જીવનને અસર કરી શકે છે. પર્યાવરણ દિવસની ઉજવણી પ્રકૃતિને પ્રદૂષણ અને અન્ય જોખમોથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.હાલ ઉનાળામાં પડી રહેલી અસહ્ય ગરમી, તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે છે અને શિયાળામાં ઠંડીનો અભાવ પર્યાવરણના નુકસાન જ સંકેત છે. ઋતુ મુજબ ઠંડી ન પડવી અને ધરતીનું વધતું જતું તાપમાન આપણી પર્યાવરણ પ્રત્યેની ઘોર બેદરકારી અને તેને નુકસાન કરતી આપણી પ્રવૃતિ છે.સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ અને ઉર્જા સંરક્ષણ જેવા પગલાં અપનાવીને આપણે પર્યાવરણના રક્ષણમાં મોટો ફાળો આપી શકીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget