શોધખોળ કરો

World Wildlife Day 2023: શા માટે 3 માર્ચે મનાવાય છે વિશ્વ વન્યજી દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" થીમ પર આ દિવસ મનાવાશે.

World Wildlife Day 2023:વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવનથી ઘણા ફાયદા મળે છે. આ ઉપરાંત વન્યજીવો પણ આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3જી માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. 3 માર્ચ 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હાલમાં ભારતમાં પ્રાણીઓની 900 થી વધુ પ્રજાતિઓ જોખમમાં છે. જો સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

 વિશ્વ વન્યજીવન દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

20 ડિસેમ્બર 2013ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના 68મા સત્રમાં, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જંગલી પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

વિશ્વ વન્યજીવન દિવસ 2023 ની થીમ

વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2023 ની થીમ "વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" છે. 2022 માં વિશ્વ વન્યજીવન દિવસની થીમ " પરિસ્થિતિની તંત્રની પુનસ્થાપના  માટે મુખ્ય પ્રજાતિઓને ફરીથી લાગૂ કરવી"

 વિશ્વ વન્યજીવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવોથી બીજા ઘણા પ્રકારના લાભ મળે છે. આમાંથી એક એ છે કે વન્યજીવન સંતુલિત આબોહવા જાળવવામાં મદદ કરે છે. તેઓ ચોમાસાને નિયમિત કરવામાં અને કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. વિશ્વ વન્યજીવ દિવસ અથવા વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે પર્યાવરણમાં પ્રાણીઓ અને છોડના યોગદાનને ઓળખીને અને પૃથ્વી પરના જીવન માટે વન્યજીવનના અસ્તિત્વના મહત્વને સમજીને ઉજવવામાં આવે છે.

વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો હેતુ

આ દિવસની ઉજવણીનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ કારણસર આખી દુનિયામાં લુપ્ત થઈ રહેલા વન્યજીવન અને વનસ્પતિને બચાવવાની રીતો પર કામ કરવું. પૃથ્વીની જૈવવિવિધતા જાળવવા માટે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ પર્યાવરણીય અસંતુલન અને વિવિધ પ્રકારના પ્રયોગોના કારણે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
Embed widget