શોધખોળ કરો

World Wildlife Day 2023: શા માટે 3 માર્ચે મનાવાય છે વિશ્વ વન્યજી દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" થીમ પર આ દિવસ મનાવાશે.

World Wildlife Day 2023:વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવનથી ઘણા ફાયદા મળે છે. આ ઉપરાંત વન્યજીવો પણ આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3જી માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. 3 માર્ચ 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હાલમાં ભારતમાં પ્રાણીઓની 900 થી વધુ પ્રજાતિઓ જોખમમાં છે. જો સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

 વિશ્વ વન્યજીવન દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

20 ડિસેમ્બર 2013ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના 68મા સત્રમાં, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જંગલી પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

વિશ્વ વન્યજીવન દિવસ 2023 ની થીમ

વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2023 ની થીમ "વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" છે. 2022 માં વિશ્વ વન્યજીવન દિવસની થીમ " પરિસ્થિતિની તંત્રની પુનસ્થાપના  માટે મુખ્ય પ્રજાતિઓને ફરીથી લાગૂ કરવી"

 વિશ્વ વન્યજીવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવોથી બીજા ઘણા પ્રકારના લાભ મળે છે. આમાંથી એક એ છે કે વન્યજીવન સંતુલિત આબોહવા જાળવવામાં મદદ કરે છે. તેઓ ચોમાસાને નિયમિત કરવામાં અને કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. વિશ્વ વન્યજીવ દિવસ અથવા વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે પર્યાવરણમાં પ્રાણીઓ અને છોડના યોગદાનને ઓળખીને અને પૃથ્વી પરના જીવન માટે વન્યજીવનના અસ્તિત્વના મહત્વને સમજીને ઉજવવામાં આવે છે.

વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો હેતુ

આ દિવસની ઉજવણીનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ કારણસર આખી દુનિયામાં લુપ્ત થઈ રહેલા વન્યજીવન અને વનસ્પતિને બચાવવાની રીતો પર કામ કરવું. પૃથ્વીની જૈવવિવિધતા જાળવવા માટે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ પર્યાવરણીય અસંતુલન અને વિવિધ પ્રકારના પ્રયોગોના કારણે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget