શોધખોળ કરો

World Wildlife Day 2023: શા માટે 3 માર્ચે મનાવાય છે વિશ્વ વન્યજી દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" થીમ પર આ દિવસ મનાવાશે.

World Wildlife Day 2023:વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવનથી ઘણા ફાયદા મળે છે. આ ઉપરાંત વન્યજીવો પણ આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3જી માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. 3 માર્ચ 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હાલમાં ભારતમાં પ્રાણીઓની 900 થી વધુ પ્રજાતિઓ જોખમમાં છે. જો સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

 વિશ્વ વન્યજીવન દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

20 ડિસેમ્બર 2013ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના 68મા સત્રમાં, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જંગલી પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

વિશ્વ વન્યજીવન દિવસ 2023 ની થીમ

વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2023 ની થીમ "વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" છે. 2022 માં વિશ્વ વન્યજીવન દિવસની થીમ " પરિસ્થિતિની તંત્રની પુનસ્થાપના  માટે મુખ્ય પ્રજાતિઓને ફરીથી લાગૂ કરવી"

 વિશ્વ વન્યજીવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવોથી બીજા ઘણા પ્રકારના લાભ મળે છે. આમાંથી એક એ છે કે વન્યજીવન સંતુલિત આબોહવા જાળવવામાં મદદ કરે છે. તેઓ ચોમાસાને નિયમિત કરવામાં અને કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. વિશ્વ વન્યજીવ દિવસ અથવા વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે પર્યાવરણમાં પ્રાણીઓ અને છોડના યોગદાનને ઓળખીને અને પૃથ્વી પરના જીવન માટે વન્યજીવનના અસ્તિત્વના મહત્વને સમજીને ઉજવવામાં આવે છે.

વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો હેતુ

આ દિવસની ઉજવણીનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ કારણસર આખી દુનિયામાં લુપ્ત થઈ રહેલા વન્યજીવન અને વનસ્પતિને બચાવવાની રીતો પર કામ કરવું. પૃથ્વીની જૈવવિવિધતા જાળવવા માટે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ પર્યાવરણીય અસંતુલન અને વિવિધ પ્રકારના પ્રયોગોના કારણે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget