શોધખોળ કરો
શું તમે જાણો છો એક મહાકાય જહાજમાં કેટલો LPG સમાય? એક જહાજ લાખો ઘરોના ચૂલા સળગાવવા માટે પૂરતું છે!
ઈરાન-ગલ્ફ ટેન્શન વચ્ચે 'શિવાલિક' અને 'નંદા દેવી' જહાજો ગુજરાત પહોંચ્યા; જાણો VLGC જહાજોની અદભુત તાકાત અને તે કેવી રીતે કામ કરે છે.
સમુદ્રના મોજાઓ પર તરતા મહાકાય જહાજો માત્ર લોખંડના માળખા નથી, પણ દેશની એનર્જી સિક્યોરિટીની જીવાદોરી છે. તાજેતરમાં જ ગલ્ફ દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. 'શિવાલિક' અને 'નંદા દેવી' નામના બે વિશાળ જહાજો હજારો ટન LPG ગેસ લઈને ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચ્યા છે. આ જહાજોમાં એટલો બધો ગેસ છે કે તે આખા ભારત દેશની એક દિવસની કુલ રાંધણ ગેસની જરૂરિયાત પૂરી કરી શકે છે, જે દેશના લાખો રસોડાઓ માટે મોટી રાહત સમાન છે.
1/6

જે વિશાળ જહાજોમાં LPG લાવવામાં આવે છે, તેને ટેકનિકલ ભાષામાં VLGC (Very Large Gas Carrier) કહેવાય છે. આ કોઈ સામાન્ય કાર્ગો જહાજો નથી હોતા, કારણ કે ગેસને પ્રવાહી (Liquid) સ્થિતિમાં જાળવી રાખવા માટે તેમાં ખાસ તાપમાન અને પ્રેશર મેન્ટેન કરવું પડે છે. એક સ્ટાન્ડર્ડ VLGC જહાજ એકસાથે 40,000 થી 55,000 મેટ્રિક ટન LPG લાવવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આધુનિક એન્જિનિયરિંગના કારણે હવે 90,000 થી 93,000 ક્યુબિક મીટર જેટલો ગેસ સમાવી શકે તેવા જહાજો પણ કાર્યરત છે.
2/6

ગુજરાતના મુન્દ્રા બંદરે આવેલું ભારતીય જહાજ 'શિવાલિક' અને કંડલા પહોંચેલું 'નંદા દેવી' જહાજ ભારત માટે અત્યારે સંકટમોચન સાબિત થયા છે. આ બંને જહાજો મળીને લગભગ 92,712 ટન LPG લઈને આવ્યા છે. આ જથ્થો એટલો પ્રચંડ છે કે તે આખા ભારત દેશના એક દિવસના કુલ રસોઈ ગેસના વપરાશ બરાબર થાય છે. આ જહાજોના સમયસર આગમનથી બજારમાં ગેસની અછતની અફવાઓ પર વિરામ લાગશે અને સપ્લાય ચેઈન મજબૂત બનશે, જે મોંઘવારી અટકાવવામાં પણ મદદરૂપ થાય છે.
Published at : 17 Mar 2026 05:27 PM (IST)
આગળ જુઓ
Advertisement























