શોધખોળ કરો
પાકિસ્તાનનું શાક માર્કેટ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું, 16નાં મોત અને અનેક લોકો ઘાયલ
પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 16 લોકોનાં મોત નિપજ્યાં હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 16 લોકોનાં મોત નિપજ્યાં હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે, ડીઆઈજી અબ્દુલ રજ્જાક ચીમાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે કરાયો હતો.
વિસ્ફોટની જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવ ટીમ, પોલીસ અને ફ્રન્ટિયર કોરના સભ્યોએ રાહત કામ શરૂ કરી દીધું છે. સુરક્ષા કારણોસર પ્રંશાસનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે જ ઘટનાસ્થળે કોઈની પણ અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
ડીઆઈજી ચીમાએ કહ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં સાતથી વધુ લોકો હજારા સમુદાયના હતાં જ્યારે ફ્રન્ટિયર કોરનો એક સૈનિક પણ હુમલામાં શહીદ થયા હતાં. પોલીસને આશંકા છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઘાયલોને સારવાર માટે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં ખસેડાયા છે.
વિસ્ફોટની જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવ ટીમ, પોલીસ અને ફ્રન્ટિયર કોરના સભ્યોએ રાહત કામ શરૂ કરી દીધું છે. સુરક્ષા કારણોસર પ્રંશાસનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે જ ઘટનાસ્થળે કોઈની પણ અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
ડીઆઈજી ચીમાએ કહ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં સાતથી વધુ લોકો હજારા સમુદાયના હતાં જ્યારે ફ્રન્ટિયર કોરનો એક સૈનિક પણ હુમલામાં શહીદ થયા હતાં. પોલીસને આશંકા છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઘાયલોને સારવાર માટે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં ખસેડાયા છે. વધુ વાંચો




















