શોધખોળ કરો

પાકિસ્તાનમાં કેટલા હિંદુઓનું પરાણે કરાયું ધર્માંતરણ? જાણો વિગત

એક સાથે 60 હિન્દુઓને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. આ ધર્મપરિવર્તન કરાતી વખતનો વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

પાકિસ્તાનમાં એક વાર જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. એક સાથે 60 હિન્દુઓને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. આ ધર્મપરિવર્તન કરાતી વખતનો વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

વીડિયોમાં જોઇ શકાય છે કે મૌલવી 60 હિન્દુઓને ઈસ્લામના શપથ લેવડાવી  ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. આ વીડયો 7 જુલાઈનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધના મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર મુક્યો છે.

આ વીડિયો પર કોમેન્ટ કરતા રાજકુમાર વણઝારા નામની વ્યક્તિએ લખ્યું છે કે, પાકિસ્તાનમાં ધર્મપરિવર્તન હવે સામાન્ય થઈ ગયું છે. ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. બધુ જાહેરમાં થાય છે. હવે એ દિવસો દુર નથી કે અહીં એક પણ હિન્દુ બચશે નહિ. 

નોંધીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ધર્મપરિવર્તન પર એક સંસદીય સમિતિની રચના કરી છે, જે બળજબરીથી થતા ધર્મપરિવર્તનને રોકવા પર કામ કરી રહી છે. જોકે ઈમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હવે આ બધુ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

PM મોદીએ આકાશી આફતમાં જાહેર કર્યું વળતર

દેશમાં ગઈ કાલે રવિવારે વીજળી પડતાં અલગ અલગ બનાવમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા, જ્યારે ઇજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

યુપીના પ્રયાગરાજ જિલ્લામાં અલગ અલગ ચાર જગ્યાએ રવિવારે વીજળી પડતા કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં સોરાવમાં મહત્તમ 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે ભારે વરસાદ સાથે વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજકાપ થયો હતો. સોરાવમાં 6, કોરાવમાં 3, બારામાં 3 અને કરથનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.  કાનપુર ડિવિઝનમાં 18, કૌશંભીમાં 4, પ્રતાપગમાં 1, આગ્રામાં 3 અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 30 થી વધુ લોકો બળી ગયા હતા. 

કોરાંવના ભગેસર ગામમાં મૃત્યુ પામેલા બે કિશોર- રામરાજ અને પુષ્પેન્દ્રનો સમાવેશ થાય છે. બારામાં કારિયા કલા ગામના વિમલેશકુમારનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. આ સિવાય એક ભેંસ, ચાર બકરી, મેજામાં એક ભેંસ અને સોરાંવમાં 4 ભેંસોના વીજળી પડતાં મૃત્યુ થયા હતા . ઉપરાંત ફુલપુરમાં બે અને સોરાવમાં બે વ્યક્તિ વીજળી પડવાના કારણે ઘાયલ થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યકત કર્યું હતું. 

મુખ્યમત્રી યોગી આદિત્યનાથે દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ઈજાગ્રસ્તોને અપેક્ષિત સહાય અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. બીજી તરફ રાજસ્થાનમાં અલગ અલગ બનાવમાં વીજળી પડવાને કારણે 25 લોકોના મૃત્યું થયા છે. જયપુરના આમેરમાં વીજળી પડવાથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. કોટાના ગરડા ગામે બકરી ચરાવવા જંગલમાં ગયેલા બાળકો પર વીજળી પડતાં 4 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે ધોલપુરમાં પણ 3 બાળકો બળીના મોત નિપજ્યા હતા. ચકસુના બાગેરિયામાં પણ વીજળી પડવાના કારણે 1 બાળકનું મોત નીપજ્યું હતું. ઝાલાવાડમાં 1 વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. મધ્યપ્રદેશમાં વીજળીના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Embed widget