શોધખોળ કરો

મ્યાનમારમાં સૈન્યએ લોકો પર કર્યો હવાઇ હુમલો, બાળકો અને મહિલાઓ સહિત 100નાં મોત

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ, લશ્કરે બળવો કરી સત્તા મેળવી હતી

મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે ચોંકાવનારી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી છે અને તેને ચિંતાજનક ઘટના ગણાવી છે.

બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો

એક પ્રત્યક્ષદર્શીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સાગૈંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. આ પ્રાંત દેશના બીજા સૌથી મોટા શહેર માંડલયેથી ઉત્તરે લગભગ 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે.

લશ્કરી સરકારે હુમલો સ્વીકાર્યો

પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ હતો. અહીં ઘટનાની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અશક્ય હતી કારણ કે ત્યાંની લશ્કરી સરકાર દ્વારા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે.

સૈન્ય સરકારના પ્રવક્તા, મેજર જનરલ ઝો મીન તુને સરકારી ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  બળવાખોર જૂથની ઓફિસના ઉદ્ધાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સેનાએ બળવો કર્યો

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ, લશ્કરે બળવો કરી સત્તા મેળવી હતી.  આ પછી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યાનમારની નેતા આંગ સાન સૂ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રસીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી, લોકશાહીની ફરીથી સ્થાપનાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોના હાથે 3,000 થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ છે.

Israel : રશિયા-યુક્રેનના કકળાટ વચ્ચે ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની ફિરાકમાં

Israel plans to Attack : રશિયા-યુક્રેન યુદ્ધનો કકળાટ હજી શાંત નથી થયો ત્યાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભો થઈ રહી છે. તાજેતરમાં જ સીરિયામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે ઈરાની લશ્કરી સલાહકારો માર્યા ગયા છે. હુમલા બાદ વધતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને દેશના બે સૌથી મોટા એરપોર્ટની સેવાઓ અસ્થાયી રૂપે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈઝરાયેલ ઈરાન પર વધુ હુમલો કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈરાન પણ હુમલાનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઈરાનની આઈઆરજીસીની એરોસ્પેસ ફોર્સ પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહી છે. IRGC સાથે સંકળાયેલા એક ઈરાની રાજકીય વ્યૂહરચનાકારે ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારને જણાવ્યું હતું કે, સીરિયામાં અગાઉ થયેલા હુમલાનો બદલો લેવા માટે યોજના બનાવવામાં આવી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget