![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ISKCON Temple Attack: બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ નિશાને, ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો, અનેક ઘાયલ
આ મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી હતી.
![ISKCON Temple Attack: બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ નિશાને, ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો, અનેક ઘાયલ attack on iskon temple in bangladesh this incident happened on Thursday ISKCON Temple Attack: બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ નિશાને, ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો, અનેક ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/e54f09e8eb7235b4c126a93047f245b6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બાંગ્લાદેશ સરકારના તમામ દાવા છતાં ત્યાંની લઘુમતીઓ હિંદુ કટ્ટરપંથીઓના નિશાને છે. ફરી એકવાર કટ્ટરવાદીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ વખતે ગુરુવારે સાંજે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિરમાં ટોળાએ ઘૂસી ગયા હતા.
ગુરુવાર સાંજની ઘટના
રિપોર્ટ અનુસાર, આ મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી હતી. એટલું જ નહીં ટોળાએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર કેટલાક લોકોએ મારપીટ પણ કરી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.
સતત હુમલા
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ અને તેમના મંદિરો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલો થયો હતો. આ દરમિયાન અનેક મંદિરો પર હુમલા પણ થયા હતા. આ હિંસામાં 2 હિંદુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકાના ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. અગાઉ ઢાકાના ટીપુ સુલતાન રોડ અને ચિત્તાગોંગના કોતવાલીમાં પણ આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.
9 ટકા હિંદુ વસ્તી
બાંગ્લાદેશની કુલ વસ્તી 165 મિલિયન છે. જેમાં હિન્દુ લોકોની સંખ્યા લગભગ 9 ટકા છે. છેલ્લા 3-4 વર્ષમાં હિંદુઓ પર હુમલાના કિસ્સા વધી ગયા છે. કેટલાક કટ્ટરપંથીઓ સતત આવા હુમલા કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા AKSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર લગભગ 4000 હુમલા થયા છે. તેમાંથી 1678 માત્ર ધાર્મિક બાબતો હતી. આ ઉપરાંત અન્ય અત્યાચારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)