શોધખોળ કરો

Nigeria: નાઇજીરિયામાં બોકો હરામે કરી 100થી વધુ લોકોની હત્યા, ઘરોમાં ઘૂસીને ઉતાર્યા મોતને ઘાટ

બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઈજીરિયામાં કરેલા હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે

બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઈજીરિયામાં કરેલા હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ બુધવારે દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ બજાર અને લોકોના ઘરોમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.

યોબે પોલીસના પ્રવક્તા ડુંગસ અબ્દુલ કરીમે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે યોબે રાજ્યના તારમુવા કાઉન્સિલ વિસ્તારમાં 150 થી વધુ આતંકવાદીઓ મોટરસાઇકલ આવ્યા હતા અને ઇમારતોને આગ લગાડતા પહેલા ફાયરિંગ કર્યું હતું. યોબેના ડેપ્યુટી ગવર્નર ઈદી બાર્ડે ગુબાનાએ હુમલામાં મૃતકોની સંખ્યા 34 ગણાવી છે.

સમુદાયના નેતા જના ઉમરે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે જે 34 લોકોનો ઉલ્લેખ કર્યો છે તે હુમલામાં માર્યા ગયા છે તે એક જ ગામના હતા. તેમણે કહ્યું કે હુમલામાં અત્યાર સુધીમાં 102 ગ્રામવાસીઓના મોતની પુષ્ટી થઈ છે. તેમણે કહ્યું કે અધિકારીઓના આગમન પહેલા મોટાભાગના લોકોને દફનાવવામાં આવ્યા હતા અથવા તેમના મૃતદેહને દફનાવવા માટે લઈ જવામાં આવ્યા હતા.

મૃત્યુઆંક 100 થી વધુ

સ્થાનિક અધિકારી બુલામા જલાલુદ્દીને જણાવ્યું કે હુમલામાં 81 લોકોના મોતની પુષ્ટી થઈ છે. માફામાં રહેતા મોહમ્મદે કહ્યું કે ઘણા વધુ સ્થાનિક રહેવાસીઓ ગુમ છે અને મૃત્યુઆંક 100 થી વધુ હોવાનો અંદાજ છે.

150 સંદિગ્ધ બોકો હરામના આતંકવાદીઓએ હુમલો કર્યો

પોલીસ અધિકારી અબ્દુલકરીમે જણાવ્યું હતું કે, “રાઇફલ્સ અને આરપીજી (રોકેટથી ચાલતા ગ્રેનેડ)થી સજ્જ આશરે 150 શંકાસ્પદ બોકો હરામ આતંકવાદીઓએ યોબે રાજ્યના એક ગામમાં મોટરસાઇકલ પર આવ્યા હતા અને માફા વોર્ડ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે ઘણા લોકોની હત્યા કરી હતી. તેમજ ઘણી દુકાનો અને મકાનોને પણ સળગાવી દીધા હતા. જો કે, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોનો વાસ્તવિક આંકડો જાણી શકાયો નથી."

અબ્દુલકરીમે કહ્યું કે બોકો હરામનો આ હુમલો બે શંકાસ્પદ આતંકવાદીઓની હત્યાનો બદલો છે. આતંકવાદી જૂથ તેના બે આતંકીઓની હત્યા બાદ ગુસ્સે ભરાયું હતું. યોબે રાજ્ય છેલ્લા 15 વર્ષથી બોકો હરામ અને અન્ય ઉગ્રવાદી જૂથો દ્વારા બળવાખોરીનો ભોગ બની રહ્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget