શોધખોળ કરો

હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ

heart attack prevention tips: તબીબી ભાષામાં ધમનીઓમાં થતા જમાવટને 'એથરોસ્ક્લેરોસિસ' (Atherosclerosis) કહેવામાં આવે છે.

heart attack prevention tips: આજના સમયમાં હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોક (Stroke) ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ધમનીઓમાં થતું બ્લોકેજ છે. જેમ ઘરની સફાઈ જરૂરી છે, તેમ શરીરની નસો એટલે કે ધમનીઓની સફાઈ પણ એટલી જ મહત્વની છે. 18 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વેસ્ક્યુલર સર્જન ડૉ. સુમિત કાપડિયાએ ધમનીઓને નેચરલ રીતે સાફ રાખવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે 3 અસરકારક ઉપાયો જણાવ્યા છે.

જ્યારે નસોમાં જામે છે 'પ્લેક', ત્યારે વધે છે જોખમ

તબીબી ભાષામાં ધમનીઓમાં થતા જમાવટને 'એથરોસ્ક્લેરોસિસ' (Atherosclerosis) કહેવામાં આવે છે. જ્યારે ધમનીઓની અંદર ચરબી, કોલેસ્ટ્રોલ (Cholesterol) અને કેલ્શિયમ જેવા તત્વો જમા થાય છે, ત્યારે તેને 'પ્લેક' કહે છે. આ પ્લેકને કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, પરિણામે લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઘટી જાય છે. આ સ્થિતિમાં હૃદયને લોહી પંપ કરવા માટે વધારે જોર કરવું પડે છે, જે છાતીમાં દુખાવો અને ગંભીર હૃદયરોગનું કારણ બની શકે છે.

વિટામિન K2: કેલ્શિયમને જામતું અટકાવતું સુરક્ષા કવચ

ડૉ. કાપડિયાના જણાવ્યા મુજબ, ધમનીઓને કડક થતી અટકાવવા માટે 'વિટામિન K2' (Vitamin K2) રામબાણ ઈલાજ છે. આ વિટામિન શરીરમાં એવા પ્રોટીનને સક્રિય કરે છે જે કેલ્શિયમને ધમનીઓની દીવાલો પર જામતા અટકાવે છે.

સ્ત્રોત: ઈંડાની જરદી, ડેરી પ્રોડક્ટ્સ, અને આથો લાવેલો ખોરાક (Fermented Foods) વિટામિન K2 થી ભરપૂર હોય છે. સંશોધનો મુજબ, જે લોકોના ડાયટમાં આ વિટામિન પૂરતા પ્રમાણમાં હોય છે, તેમને હૃદયની બીમારીઓ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.

સફેદ ઝેર સમાન રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહો

બીજું સૌથી મહત્વનું પગલું છે તમારા ખોરાકમાંથી રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ (Refined Carbohydrates) ઘટાડવા. સફેદ બ્રેડ, ખાંડવાળા નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડ ભલે લો-ફેટ દેખાતા હોય, પરંતુ તે રક્તવાહિનીઓમાં બળતરા (Inflammation) અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધારે છે. આ ખોરાક આડકતરી રીતે ધમનીઓમાં બ્લોકેજ વધારવાનું કામ કરે છે.

રોજિંદી 30 મિનિટની કસરત હૃદયને રાખશે મજબૂત

ત્રીજો અને સૌથી અકસીર ઉપાય છે શારીરિક સક્રિયતા. ડૉક્ટરની સલાહ મુજબ, તમારે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ.

શું કરવું: ચાલવું, સાયકલિંગ, સ્વિમિંગ અથવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ.

ફાયદા: નિયમિત કસરતથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, વજન જળવાય છે અને પ્લેક જમા થવાની પ્રક્રિયા ધીમી પડે છે. જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.

(ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ નવો ડાયટ કે કસરત શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ધમનીઓમાં પ્લેક જમા થવાથી શું થાય છે?

ધમનીઓમાં પ્લેક જમા થવાથી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેના કારણે લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઘટી જાય છે. આ હૃદય પર દબાણ વધારે છે અને છાતીમાં દુખાવો થઈ શકે છે.

ધમનીઓને સ્વસ્થ રાખવા માટે કયું વિટામિન મદદરૂપ થાય છે?

વિટામિન K2 ધમનીઓને કડક થતી અટકાવવામાં મદદ કરે છે. તે કેલ્શિયમને ધમનીઓની દીવાલો પર જામતું રોકે છે.

કયા ખોરાક પદાર્થોથી દૂર રહેવું જોઈએ?

સફેદ બ્રેડ, ખાંડવાળા નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહેવું જોઈએ. આ પદાર્થો રક્તવાહિનીઓમાં બળતરા વધારી શકે છે.

હૃદયને મજબૂત રાખવા માટે કેટલી કસરત કરવી જોઈએ?

હૃદયને મજબૂત રાખવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. ચાલવું, સાયકલિંગ, સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ ફાયદાકારક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
Advertisement

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
Embed widget