શોધખોળ કરો

અફઘાનિસ્તાનમાં સ્થિતિ એકદમ ખરાબ, કાબુલ એરપોર્ટ મચેલી ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત- બ્રિટન

બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફડાતફડીની વચ્ચે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક એકઠા થયેલા લોકોના ટોળામાં સામેલ સાત અફઘાન નાગરિકોના મોત થઇ ગયા છે. આ વાતની જાણકારી બ્રિટેનની સેનાએ આપી છે. બ્રિતાની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- જમીની સ્થિતિ અત્યંત પડકારરૂપ છે, પરંતુ અમે વધુમાં વધુ સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની દરેક કોશિશ કરી રહ્યાં છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના શાસનથી બચીને ભાગવાની કોશિશમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થઇ ગયા છે.  

બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા છીએ. અફડાતફડી તે સમયે મચી જ્યારે તાલિબાન લડાકુઓથી ભરેલા એરપોર્ટ પરથી લોકો ઝડપથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા. 

ઘટના તે સમયે ઘટી જ્યારે તાલિબાની આતંકી ભીડને વેરવિખેર કરવા માટે ફાયરિંગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલ સહિત કેટલાય શહેરોમાં અફડાતફડીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકન દુતાવાસે નવી સુરક્ષા ચેતાવણી જાહેર કરતા કહ્યું હતુ કે અમેરિકન સરકારે અધિકારીઓના વ્યક્તિગત આદેશ વિના કાબુલ એરપોર્ટ પર યાત્રા ના કરે.

તાલિબાનનો હાઇકમાન મુલ્લા બરાદર કાબુલ પહોંચ્યો, સરકાર બનાવવાને લઇને કરશે ચર્ચા
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. દેશ છોડવાના પ્રયાસમાં લોકો ભટકી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે. વાસ્તવમાં કાબુલમાં અફવા ફેલાઇ ગઇ છે કે અમેરિકા કાબુલ એરપોર્ટ પર લોકોને દેશ છોડવામાં મદદ કરી રહ્યું છે. આ અફવાને કારણે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ બહાર એકઠા થઇ રહ્યા છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પાસેથી લગભગ 150 લોકોને ઉઠાવી ગયા હતા જેમાં મોટાભાગના ભારતીયો સામેલ હતા. જોકે તાલિબાનોએ આ ઘટનાનો ઇનકાર કર્યો હતો.

એએફપીના રિપોર્ટ અનુસાર તાલિબાનનો કો-ફાઉન્ડર સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવા કાબુલ પહોંચ્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરદાર કાબુલમાં જેહાદી નેતાઓ અને રાજકારણીઓ સાથે મુલાકાત કરશે. તાજેતરમાં જ તાલિબાની નેતાઓએ હામિદ કરઝઇ, અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે વર્તમાન તાલિબાન અગાઉના તાલિબાન કરતા વધુ ઉદાર હશે.

કાબુલ એરપોર્ટ પર અમેરિકા અને બ્રિટનના સૈનિકોને અલગ કરવા માટે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તાર અને ગેટની આસપાસ એકઠા થયેલા અફઘાનિસ્તાનના લોકો વિદેશી સૈનિકો પાસે મદદ માંગી રહ્યા છે. સ્થાનિક મીડિયા અને અમેરિકન રિપોર્ટર દ્ધારા ટ્વિટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે તાલિબાનના ડરથી દેશ છોડવાના પ્રયાસમાં અફઘાની લોકો કાંટાળા તાર પર ચઢીને બીજી તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની સુરક્ષા હક્કાની નેટવર્કના વરિષ્ઠ નેતાઓના હાથમાં સોંપી દીધી છે. જેના અલ કાયદા સાથે લાંબા સમયથી સંબંધો છે. પશ્વિમી જાસૂસી અધિકારીઓના કહેવા પ્રમાણે આમ થવું ખતરનાક રહેશે. 1996થી 2001 સુધી દેશ પર શાસન કરનારા તાલિબાને અગાઉ કરતા વધુ ઉદારવાદી રસ્તે ચાલવાનું વચન આપ્યું છે પરંતુ આ નિર્ણય તે વચનનો ભંગ કરતું હોય તેવું લાગી રહ્યું છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget