શોધખોળ કરો

CIA : 'ખુલ્લી બારી'માંથી આવશે પુતિન સામે બળવો કરનાર પ્રિગોઝિનનું મોત? જાણો કારણ

રશિયામાં હાલ તો શાંતિ છે અને ઘણા લોકો તેને તોફાન પહેલાની શાંતિ તરીકે જોઈ રહ્યાં છે. ગત શનિવારે વેગનર ચીફના વડા યેવજેની પ્રિગોઝિને બળવાનો પ્રયાસ કર્યો હતો.

Warns Former CIA Chief : અમેરિકન આર્મીના રિટાયર્ડ જનરલ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના ભૂતપૂર્વ વડા ડેવિડ પેટ્રાયસે રશિયાની ખાનગી સેના વેગનરના વડા યેવજેની પ્રિગોઝિનને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, યેવજેની પ્રિગોઝિનની હત્યા થઈ શકે છે. 

રશિયામાં હાલ તો શાંતિ છે અને ઘણા લોકો તેને તોફાન પહેલાની શાંતિ તરીકે જોઈ રહ્યાં છે. ગત શનિવારે વેગનર ચીફના વડા યેવજેની પ્રિગોઝિને બળવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેને દેશદ્રોહ ગણાવ્યો હતો. સાંજ સુધીમાં પ્રિગોઝિને જાહેરાત કરી દીધી હતી કે તેની સેના મોસ્કો તરફ આગળ વધશે નહીં. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ મધ્યસ્થી કરી અને આખો મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ બળવાના કારણે શક્તિશાળી નેતા તરીકેની પુતિનની છબી થોડી નબળી પડી છે.   નિષ્ણાતોના મતે, ઓલ ઈઝ વેલ નથી. પુતિન એવા નેતા છે જે ક્યારેય છેતરપિંડીને ભૂલતા નથી. અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના પૂર્વ વડાએ પણ પ્રિગોઝિનને ચેતવણી આપી છે.

પ્રિગોઝિન માટે જોખમ

CIAના ભૂતપૂર્વ ડિરેક્ટર ડેવિડ પેટ્રાયસનું નિવેદન પ્રિગોઝિન માટે ખતરાની ઘંટી સમાન છે. સીએનએનના 'સ્ટેટ ઓફ ધ યુનિયન' પર બોલતા, નિવૃત્ત જનરલ પેટ્રાયસે કહ્યું હતું કે, વેગનર ગ્રુપના વડા યેવજેની પ્રિગોઝિને ખુલ્લી બારીઓની આસપાસ ખૂબ કાળજી રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોઈએ એ ન ભૂલવું જોઈએ કે, કેવી રીતે છેલ્લા કેટલાક દિવસોમાં પુતિનના વિરોધીઓ બારીઓમાંથી નીચે પડીને મૃત્યુ પામ્યા છે. તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે તદ્દન રહસ્યમય રહ્યું છે.

પ્રિગોઝિન શા માટે મૌન? 

મોસ્કો પર કૂચ રોકવાના કરારના ભાગરૂપે પ્રિગોઝિન બેલારુસમાં દેશનિકાલમાં જવા સંમત થયા. પુતિનના ખાસ મિત્ર એવા રાષ્ટ્રપતિ લુકાશેન્કોને આ ડીલના હિરો તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. લુકાશેન્કોએ વેગનરના સૈનિકો અને ક્રેમલિન વચ્ચેના સોદાનો શ્રેય પણ લીધો છે. ક્રેમલિન સાથે દેશનિકાલમાં જવા માટેના કરાર પર પહોંચ્યા પછી બેલારુસમાં પ્રિગોઝિનના આગમન વિશે હજી કોઈ માહિતી નથી. પ્રિગોઝિન પણ હાલ મૌન છે.

પુતિન છેતરપિંડી ક્યારેય ભૂલતા નથી

રશિયાના કોમર્સન્ટ અખબારે પણ કહ્યું છે કે, સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ આવ્યો નથી અને FSB તેની તપાસ યથાવત રાખી રહ્યું છે. કરાર બાદ પ્રિગોઝિને રોસ્ટોવમાંથી વેગનરના લડવૈયાઓને પાછા ખેંચી લીધા. તેઓ બધા યુક્રેન પાછા ફર્યા જ્યાં એક સમયે પુતિનની નજીકના પ્રિગોઝિન હવે તેમના સૌથી મોટા વિરોધી બની ગયા છે. પુતિનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યાં છે કે, તે બધું માફ કરી શકે છે પરંતુ વિશ્વાસઘાતને પણ માફ ના કરી શકે. 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget