શોધખોળ કરો

Corona Update: દુનિયામાં 7 લાખથી વધુ લોકો સંક્રમિત, કયા દેશમાં કેટલા લોકોનાં નિપજ્યાં મોત? આંકડા પર કરો એક નજર

આજે વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 33,215 થઈ ગયો છે.

આજે વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 33,215 થઈ ગયો છે. 1,49,219 લોકો સંક્રમણ બાદ સાજા થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી પ્રથમ મોત 29 ફેબ્રુઆરીના રોજ થયું હતું. ત્યાર બાદ ગત બુધવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1000 પર પહોંચ્યો હતો. પરંતુ માત્ર બે દિવસમાં કોરોનાને કારણે મૃત્યુઆંક બેવડાઇને 2000ને પાર પહોંચી ગયો છે. આ સાથે જ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેનેક્ટિકમાં લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ન કરવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 9,315 વધીને 1,32,893 પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2357 થઈ ગયો છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 782નાં મોત નિપજ્યાં છે. અહીં 52 હજાર પોઝિટિવ કેસ છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસ એક લાખ નજીક પહોંચ્યા છે. ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 10,779 થયો છે. જયારે સ્પેનમાં કુલ મૃત્યુઆંક 6,606 થયો છે. કુલ સંક્રમિતોમાં 5,564 વધીને 78,799 થયા છે. જર્મનીમાં વધુ 49 લોકોના મોત થતાં 482 આંક પહોંચ્યો છે. કુલ સંક્રમિતો 2,964 વધી 60,659 થયા છે. ઈરાનમાં 2,901 નવા કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 38,309 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2640 થયો છે. યુકેમાં 2,433 નવા કેસ આવતા કુલ સંક્રમિતોનો આંકડો 19,522 થયો છે. કુલ મૃત્યુઆંક 1100ની પાર કરી ગયો છે. નેધર્લેન્ડ, બેલ્જિયમ, તુર્કી, સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંક્રમિતો તથા મૃતકોનો આંક ચિંતાજનકસ્તરે વઘી રહ્યો છે. અમેરિકામાં ન્યૂ યોર્કમાં સૌથી વધારે 792 લોકોના મોત થયા છે. વાયરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો.સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં શાહી પરિવારમાં આ પ્રથમ મોત છે. છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં 123 મોત થયા છે આ સાથે મૃત્યુઆંક 2640 પહોંચી ગયો છે. કુલ પોઝિટિવ કેસ 38,309 નોંધાયા છે. તેમાંથી 3467 લોકો આઈસીયુમાં છે. 12391 લોકો સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપ દેવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 1,526 કેસ નોંધાયા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સ્પેનમાં 624 લોકોનાં મોત નિપજ્યાં છે. અહીં મૃત્યુઆંક 6,528 પહોંચી ગયો છે. સ્પેનમાં કુલ કેસની સંખ્યા 78,799 થઈ છે. સ્પેન યુરોપનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીંની સરકારે 11 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. દુનિયાના દેશોમાં કોરોના વાયરસની કેવી સ્થિતિ છે તે આંકડા પર એક નજર કરીએ તો, અમેરિકા - 2,357, ઈટાલી - 10,779, ચીન - 3300, સ્પેન - 6,606, જર્મની - 482, ફ્રાન્સ - 2,314, ઈરાન - 2640, બ્રિટન - 1019, સ્વિત્ઝરલેન્ડ - 300, નેધરલેન્ડ - 771, દ. કોરિયા - 152, બેલ્જિયમ - 431, ઓસ્ટ્રિયા - 68, તુર્કી - 131, કેનેડા - 63, પોર્ટુલગ - 119, નોર્વે - 25, બ્રાઝીલ - 114, ઓસ્ટ્રેલિયા - 16, ઈઝરાયલ - 15, સ્વિડન - 110, આયરલેન્ડ - 46, મેલેશિયા - 35 અને ભારત - 27 લોકોના મોત નિપજ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget