શોધખોળ કરો

Earthquake : તુર્કીમાં હજી મચશે ભયંકર તબાહી? ભૂકંપના મહાઝાટકા બાદ વૈજ્ઞાનિકોએ આપી નવી ચેતવણી

તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD)અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ છે.

Turkey-Syria Earthquake Massive Destruction : ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભયંકર તબાહી સર્જાઈ છે. તુર્કીમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ બપોર બાદ 7.6ની તીવ્રતાનો વધુ એક આફ્ટશોક આવ્યો હતો. આ ઉપરાંત પણ સાંજે ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તેની તીવ્રતા 6.0 રહી હતી જે અત્યાર સુધીની ત્રણમાં સૌથી ઓછી છે. હવે નિષ્ણાંતોએ તુર્કીને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. 

તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD)અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ છે, જેમાં ઘણા લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. 

અહેવાલો અનુસાર એલ્બિસ્તાન તુર્કીમાં બીજા 7.5 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હતું. જ્યારે બીજી વખત ભૂકંપ આવ્યો ત્યારે લોકો તુરંત જ ઘરોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર એકઠા થઈ ગયા હતા. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે, ભારે તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશોક્સ આવવાના કારણે તુર્કીમાં વધુ તબાહી મચી શકે છે.

નિષ્ણાતોના મતે જ્યારે વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે તેના પછી ઘણા આફ્ટરશોક્સ આવતા હોય છે. આ આંચકા અત્યંત જોખમી સાબિત થાય છે. નિષ્ણાતોના મતે તુર્કીમાં ભૂકંપ બાદ આફ્ટરશોક્સનો ભય પણ વધી ગયો છે. ભૂકંપના કારણે ઘણી એવી ઈમારતો છે જેમાં તિરાડો પડી ગઈ છે. અત્યાર સુધી આ તમામ ઈમારતો ભૂકંપના આંચકા સહન કરી ચૂકી છે, પરંતુ ભવિષ્યમાં જો સહેજ પણ ભૂકંપ આવે તો તેને જમીનદોસ્ત થતાં વાર નહીં લાગે. જો આમ થશે તો ના માત્ર વિનાશ જ થશે પરંતુ લોકોના જીવ બચાવવા ખૂબ મુશ્કેલ બની જશે. મોટી સંખ્યામાં લોકોના મોત નિપજશે. આ સાથે જ અબજો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નષ્ટ થઈ શકે છે.

ભૂકંપ બાદ આવતા આફ્ટરશોક આખરે છે શું? 

આફ્ટરશોક એવી સ્થિતિ કહેવાય છે, જ્યારે કોઈ વિસ્તારમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય અને થોડા સમય બાદ ફરીથી ભૂકંપ આવે. જો તે પહેલા કરતા વધુ મજબૂત હોય તો તેને પ્રથમ ધરતીકંપ માનવામાં આવે છે. સમસ્યા એ છે કે ભૂકંપના બે વર્ષ પછી પણ આફ્ટરશોકની સ્થિતિ ઉભી થઈ શકે છે. જો કે, સમય સાથે તે ચોક્કસપણે નબળી પડી જાય છે. ભૂકંપ બદ આફ્ટરશોકની સ્થિતિ પણ ઘણી ખતરનાક હોય છે. ધારો કે ધરતીકંપ સમયે જો ઇમારતોને થોડું નુકસાન થયું હોય તો પછી એક નાનો આફ્ટરશોક પણ તે ઇમારતોને ખુબ જ આસાનીથી ધ્વસ્ત કરી શકે છે.

એટલા માટે ભૂકંપ બાદ આવી તમામ ઈમારતોની તપાસ કરવી જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તે આવનારા કોઈપણ ભૂકંપનો સામનો કરી શકે છે કે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget