શોધખોળ કરો

Bangladesh Crisis: ટારગેટ કિલિંગ બાદ ફરી નિશાન પર હિંદુઓ! હવે નોકરી છીનવાઈ રહી છે, 50 શિક્ષકોને આપવું પડ્યું રાજીનામું

Bangladesh Crisis: બાંગલાદેશમાંથી શેખ હસીનાના રાજીનામા બાદ હિંદુ અને લઘુમતી સમુદાય સાથે બર્બરતા વધતી જઈ રહી છે. આગચંપી અને લૂંટફાટ બાદ હવે નોકરીમાંથી જબરદસ્તીથી રાજીનામું લેવાનું શરૂ થયું છે.

Bangladesh Crisis: શેખ હસીનાના વડાપ્રધાન પદેથી રાજીનામા બાદ બાંગલાદેશમાં લઘુમતી સમુદાયોના 49 શિક્ષકોને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. બાંગલાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઐક્ય પરિષદની વિદ્યાર્થી શાખા બાંગલાદેશ વિદ્યાર્થી ઐક્ય પરિષદે શનિવારે રાષ્ટ્રીય પ્રેસ ક્લબમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. બરિશાલના બેકરગંજ સરકારી કૉલેજના પ્રિન્સિપાલ શુક્લા રાણી હલદરના જબરદસ્તીથી રાજીનામાનો મામલો સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી રહ્યો છે. લોકો આની ભારે નિંદા કરી રહ્યા છે.

ધ ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, વિદ્યાર્થી સંગઠનના સંયોજક સાજિબ સરકારે કહ્યું કે શેખ હસીનાના નેતૃત્વ વાળી સરકારના પતન બાદથી દેશમાં ધાર્મિક અને જાતીય લઘુમતીઓને હિંસાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે આમાં લૂંટફાટ, મહિલાઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ, ઘરો અને કાર્યસ્થળો પર આગચંપી અને હત્યાઓ પણ સામેલ છે. સરકારે આગળ જણાવ્યું કે દેશભરમાં લઘુમતી શિક્ષકોને શારીરિક હુમલાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે 30 ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા 49 શિક્ષકોને જબરદસ્તીથી રાજીનામું આપવું પડ્યું. જોકે, તેમાંથી 19 શિક્ષકોને ફરીથી બહાલ કરવામાં આવ્યા છે.

શેખ હસીનાના રાજીનામા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ

ખરેખર, બાંગલાદેશમાં અનામત વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન હિંસક બની ગયું હતું, જેના પછી શેખ હસીનાને પોતાના પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. આ હિંસક આંદોલન દરમિયાન 400થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. બાંગલાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શપથ લીધા બાદ કહ્યું હતું કે તેઓ બંધારણની મર્યાદા જાળવી રાખશે, લોકોનું સમર્થન અને તેમનું રક્ષણ કરશે અને પ્રામાણિકતાથી ફરજોનું પાલન કરશે. આમ છતાં બાંગલાદેશની સ્થિતિમાં સુધારો થતો જોવા મળતો નથી.

બાંગલાદેશના 48 જિલ્લાઓમાં હિંદુઓ સાથે હિંસા

શેખ હસીનાના ઢાકા છોડ્યા બાદ દેશમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવી અને હિંદુઓના ઘરો અને પૂજા સ્થળોને નિશાન બનાવ્યા. દેશના 23 ધાર્મિક સંગઠનોના એક રાષ્ટ્રીય ગઠબંધન, બાંગલાદેશ જાતીય હિંદુ મહાજોટ (BJHM)એ કહ્યું કે 5 ઓગસ્ટ પછીથી દેશના 48 જિલ્લાઓમાં 278 સ્થળોએ હિંદુ પરિવારોને હિંસા અને બર્બરતાનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની સ્થિરતા અને વિકાસ માટે ભારતના સમર્થનને પણ દોહરાવ્યું છે. તેમણે કહ્યું આવનારા દિવસોમાં અમે હંમેશા બાંગલાદેશની 'વિકાસ યાત્રા' માટે શુભેચ્છાઓ આપીશું કારણ કે અમે માનવજાતના શુભચિંતક છીએ.

શેખ હસીના પર હત્યાના કેસો

બાંગલાદેશની વચગાળાની સરકાર હાલમાં, શેખ હસીના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ બાંગલાદેશના પૂર્વ કાપડ અને ઉદ્યોગ મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત શેખ હસીના અને આવામી લીગના નેતાઓ પર સતત હત્યા અને તમામ પ્રકારના કેસો નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શેખ હસીનાનું બાંગલાદેશ પાછા જવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે બાંગલાદેશમાં તેમની ધરપકડ થઈ શકે છે અને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget