શોધખોળ કરો

Nijjar killing: 'કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને સર્વેલન્સ પર રખાયા', ટ્રુડો કરાવી રહ્યા હતા ભારતીય અધિકારીઓના કૉલ રેકોર્ડ

India Canada Row: કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે

India Canada Row: કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. વિવાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના એ નિવેદનથી શરૂ થયો જેમાં તેમણે ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં કેનેડાના વડાપ્રધાને ફરી એકવાર પોતાની વાત પર અડગ રહ્યા હતા. જો કે, ભારત તેમના આરોપોને વાહિયાત ગણાવીને નકારી ચૂક્યું છે.

જો કે, કેનેડાનું એ માનવું હતું કે ભારતીય એજન્ટો ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા તે ભારતીય અધિકારીઓ સાથેની વાતચીતના કોલ રેકોર્ડ પર આધારિત હોઈ શકે છે. સીબીસી ન્યૂઝે ગુરુવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે કેનેડામાં  હાજર ભારતીય રાજદ્વારીઓ સહિત ભારતીય અધિકારીઓને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા, આ દરમિયાન તેઓએ કોલ પર જે વાત કરી હતી તે સાંભળવામાં આવી હતી. કેનેડાની સરકારે એક મહિના લાંબી તપાસ દરમિયાન ગુપ્ત માહિતી એકત્ર કરી હતી.

જાસૂસી સલાહકાર બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતા

રિપોર્ટ અનુસાર, 'ફાઇવ આઇઝ' ગઠબંધનમાં અન્ય દેશો સાથે કેટલીક ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. તે ગ્રુપમાં કેનેડા ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને જાસૂસી સલાહકાર જૉડી થોમસ ઓગસ્ટમાં ચાર દિવસ અને સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.

નિજ્જરની હત્યામાં ભારત પર આરોપ લગાવનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપોને ગંભીરતાથી લે અને અમારી સાથે મળીને કામ કરે.

ટ્રુડોએ કહ્યું કે મેં અગાઉ કહ્યું તેમ અમને નક્કર માહિતી મળી છે કે આ ઘટના (નિજ્જરની હત્યા) પાછળ ભારત સરકારનો હાથ છે. મને લાગે છે કે નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી ધરાવનાર દેશ તરીકે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે અત્યંત અખંડિતતા સાથે કામ કરીએ. હું તમને ખાતરી આપવા માંગુ છું કે આ આરોપોને હાઉસ ઓફ કોમન્સમાં દરેકની સમક્ષ રજૂ કરવાનો નિર્ણય ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે કાયદાનું પાલન કરનાર દેશ તરીકે નિષ્પક્ષ તપાસ કરવાની અમારી જવાબદારી છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રણાલીને અનુસરીએ છીએ. હું અહીં કહેવા માંગુ છું કે આપણી ધરતી પર આપણા નાગરિકની હત્યા પાછળ કોઈપણ દેશનો હાથ હશે તેને સહન કરવામાં આવશે નહીં.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Groundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાનRahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પરKedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરીBJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
Embed widget