શોધખોળ કરો

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Iran Israel war: સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

Iran Israel war: ઈરાને ઈઝરાયલ પર લગભગ 200થી વધુ મિસાઈલો છોડી છે. સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈઝરાયલમાં રહેતા ભારતીયોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયલના તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગંભીર સ્થિતિને જોતા ભારતે ઈઝરાયલમાં પોતાના 32,000 નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો તાત્કાલિક મદદ મળી શકે.

ઈરાનના હુમલા વચ્ચે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરેલી એડવાઈઝરીમાં ભારતીય લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, 'વિસ્તારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. દરેક વ્યક્તિએ સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે

એડવાઈઝરીમાં આગળ લખ્યું છે કે, 'કૃપા કરીને સાવધાન રહો, બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. એમ્બેસી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયલી સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે.

એમ્બેસીએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

આ તમામ જરૂરી માહિતીની સાથે ભારતીય દૂતાવાસે ઈઝરાયલમાં રહેતા ભારતીય લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. એમ્બેસીએ લોકોને ઈમરજન્સીના કિસ્સામાં સંપર્ક કરવા માટે બે નંબર જાહેર કર્યા છે, જે હંમેશા ઉપલબ્ધ રહેશે. આ બે નંબરો છે +972-547520711 અને +972-543278392.

અમેરિકાની ચેતવણી

અમેરિકન અધિકારીઓએ ઈઝરાયલને પહેલાથી જ એલર્ટ કરી દીધું હતું કે ઈરાન હુમલો કરી શકે છે. આમ છતાં ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તમામ નાગરિકોને બોમ્બ શેલ્ટર પર મોકલવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તરત જ અમેરિકી સૈન્યને ઇઝરાયલના મિસાઇલ સંરક્ષણમાં મદદ કરવા અને ઇરાની હુમલાઓથી ઇઝરાયલને બચાવવા સૂચના આપી છે.

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget