શોધખોળ કરો

શું નવેમ્બર 2026 માં દુનિયા ખતમ થઈ જશે? જો આ ભવિષ્યવાણી સાચી પડી તો વર્ષ 2027 ક્યારેય નહીં આવે?

world ending november 2026: સોશિયલ મીડિયા પર દુનિયાના અંતની ભયાનક આગાહી વાયરલ થઈ રહી છે, પણ 1960 ના વૈજ્ઞાનિક રિસર્ચની હકીકત કંઈક અલગ જ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૩ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં દુનિયાનો અંત આવવાની અફવા ખોટી છે.
  • ૧૯૬૦ના સંશોધનમાં વસ્તી વધારાના જોખમની ચેતવણી અપાઈ હતી.
  • વૈજ્ઞાનિકોએ ક્યારેય દુનિયાના અંતની તારીખ જાહેર કરી નહોતી.
  • વસ્તી વૃદ્ધિ દર ધીમો પડ્યો છે, ભયભીત થવાની જરૂર નથી.

world ending november 2026: આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે કે 13 નવેમ્બર, 2026 ના રોજ આ દુનિયાનો અંત આવી જશે. જો આ વાત સાચી પડે તો 2027 નું વર્ષ ક્યારેય આવશે જ નહીં! આ ભયાનક આગાહી વાંચીને લોકો ગભરાઈ ગયા છે અને ઇન્ટરનેટ પર જાતજાતની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ દાવાની પાછળ રહેલા વર્ષો જૂના વૈજ્ઞાનિક રિસર્ચની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે એનું સાચું સત્ય કંઈક અલગ જ નીકળ્યું. ખરેખર તો આ રિસર્ચમાં દુનિયાના સર્વનાશની નહીં, પણ વધતી જતી વસ્તીના જોખમની ચેતવણી આપવામાં આવી હતી. ચાલો સમજીએ કે આખો મામલો શું છે.

આ ભયાનક દાવો ક્યાંથી શરૂ થયો?

ખરેખર તો આખી વાત 1960 માં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડાયેલી છે. ઇલિનોઇસ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકો - હેઇન્ઝ વોન ફોર્સ્ટર, પેટ્રિશિયા મોરા અને લોરેન્સ એમિઓટે તે સમયે દુનિયાની વધતી જતી વસ્તી પર એક રિસર્ચ કર્યું હતું. તેમણે છેલ્લા 2000 વર્ષના વસ્તીના આંકડાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો.

તેમણે એક ગાણિતિક મોડેલ બનાવીને એવી આગાહી કરી હતી કે જો દુનિયાની વસ્તી આ જ ઝડપે વધતી રહેશે, તો 13 નવેમ્બર, 2026 સુધીમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે અને પૃથ્વી પર વસ્તી 'અનંત' થઈ જશે.

તો શું ખરેખર દુનિયાનો અંત આવી જશે?

ના, એવું બિલકુલ નથી! વૈજ્ઞાનિકોએ ક્યારેય એવું નહોતું કહ્યું કે 2026 માં પૃથ્વી પર કોઈ મોટો વિસ્ફોટ થશે કે કોઈ પ્રલય આવશે. તેમનો કહેવાનો સીધો અર્થ એ હતો કે જો વસ્તી વધારાને કાબૂમાં લેવામાં નહીં આવે, તો માણસોને ખાવા-પીવા અને રહેવા માટે ભારે સંકટનો સામનો કરવો પડશે.

ભીડભાડ, ખોરાકની અછત અને પર્યાવરણ પર એટલું બધું દબાણ આવશે કે લોકોનું સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની જશે. રિસર્ચમાં જે "અનંત વસ્તી" ની વાત હતી, તે માત્ર એક પ્રતીકાત્મક ચેતવણી હતી, નહિ કે દુનિયા ખતમ થવાની કોઈ ચોક્કસ તારીખ.

આ પણ વાંચોઃ ત્રીજા વિશ્વયુદ્ધની બાબા વાંગાની ભવિષ્યવાણી અને અમેરિકા ઈરાન વચ્ચે મહાયુદ્ધ: શું દુનિયાનો અંત?

અત્યારની પરિસ્થિતિ શું છે?

આજના સમયમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભલે દુનિયાની વસ્તી આજે 8 અબજને પાર કરી ગઈ છે, પરંતુ વસ્તી વધવાનો દર પહેલા કરતા ઘણો ધીમો પડી ગયો છે. યુનાઇટેડ નેશન્સ (UN) ના અંદાજ મુજબ, 2080 ની આસપાસ દુનિયાની વસ્તી તેની ટોચ પર હશે અને ત્યારપછી તેમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે.

પૃથ્વી ખરેખર ક્યારે ખતરામાં મુકાશે?

જો પૃથ્વીના ખરેખર અંતની વાત કરીએ, તો આધુનિક વિજ્ઞાન કહે છે કે આશરે 1 અબજ વર્ષો પછી સૂર્યની ગરમી એટલી બધી વધી જશે કે પૃથ્વી પરથી ઓક્સિજન ઘટવા લાગશે અને સમુદ્રો સુકાઈ જશે. તાપમાન એટલું વધી જશે કે પૃથ્વી પર જીવન શક્ય નહીં રહે. જોકે, માનવ સભ્યતા માટે આ સમય હજુ ઘણો દૂર છે.

આ પણ વાંચોઃ Baba Vanga Predictions: વિયેતનામમાં પૂર અને શ્રીલંકામાં તબાહી! 2025 માં બાબા વાંગાની આ ભવિષ્યવાણી સાચી પડી

આ જૂનો મુદ્દો અત્યારે કેમ વાયરલ થયો?

ઇન્ટરનેટ પર ઘણીવાર જૂની માહિતીઓને અડધા સત્ય સાથે અને મસાલો ભભરાવીને શેર કરવામાં આવે છે. બસ આ જ કારણે 2026 ના વસ્તી વધારાના આ જૂના રિસર્ચને લોકોએ "દુનિયાના અંત" તરીકે ખોટી રીતે સમજી લીધું અને ફોરવર્ડ કરવા લાગ્યા. હકીકતમાં આ એક ચેતવણી હતી કે આપણે આપણા સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેથી, આ વાયરલ મેસેજથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.

Frequently Asked Questions

શું 13 નવેમ્બર, 2026 ના રોજ દુનિયાનો અંત આવી જશે?

ના, આ વાત ખોટી છે. 1960 ના એક જૂના રિસર્ચમાં વસ્તી વધારાના જોખમની ચેતવણી આપવામાં આવી હતી, દુનિયાના અંતની નહીં.

આ 'દુનિયાના અંત' ની વાત ક્યાંથી શરૂ થઈ?

આ વાત 1960 માં થયેલા ઇલિનોઇસ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત છે, જેમાં વસ્તી વધારાની આગાહી કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોનો 'અનંત વસ્તી' થી શું કહેવાનો મતલબ હતો?

તેમનો મતલબ એ હતો કે જો વસ્તી નિયંત્રણમાં નહીં આવે તો ભોજન, પાણી અને રહેઠાણ જેવી સુવિધાઓ માટે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.

હાલમાં દુનિયાની વસ્તીની શું પરિસ્થિતિ છે?

વસ્તી 8 અબજ પાર કરી ગઈ છે, પરંતુ વસ્તી વધવાનો દર ધીમો પડ્યો છે. UN મુજબ, 2080 માં વસ્તી ટોચ પર પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Advertisement

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget