શોધખોળ કરો

Israel : ગાઝા ટ્રિપના 23 લાખ લોકોના શરણાથી કેંપમાં ભિષણ આગ, 21 લોકોના કરૂણ મોત

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે,ઘટનાસ્થળે મોટીસંખ્યામાં ગેસોલિન એકત્ર કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતમાં આગ લાગી હતી. ચાર માળની ઈમારતના ચોથા માળે જ આગ લાગી હતી.

Gaza Building Fire : ઈઝરાયેલના વિવાદાસ્પદ એવા ગાઝા ટ્રીપ વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવતી જબાલિયા શરણાર્થી શિબિરમાં એક રહેવાસી ઈમારતમાં ભિષણ આગ લાગતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલનસ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 

ગાઝાના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે,ઘટનાસ્થળે મોટીસંખ્યામાં ગેસોલિન એકત્ર કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતમાં આગ લાગી હતી. ચાર માળની ઈમારતના ચોથા માળે જ આગ લાગી હતી. જેથી અગ્નિશામક દળને આગ પર કાબુ મેળવવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબુ મેળવવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગી ગયો હતો. ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેમને લોકોની બુમો અને ચીસો સ્પષ્ટ સાંભળાતી હતી પરંતુ આગ ભયાનક હોવાના કારણે અસરગ્રસ્તોની મદદ કરી શકતા નહોતા. 

હમાસે કહ્યું હતું કે, આગ લાગવાના કારણોની તપાસ લગાવવા માટે પ્રક્રિયા હાથ ધરીદેવામાં આવી છે. અલ ઝઝીરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું  હતું કે, શહેરમાં નાગરિક સુરક્ષા સેવાઓ આ પ્રકારની ઈમર્જન્સી પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા સક્ષમ નથી. જ્યારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ  મહમૂદ અબ્બાસે આ ઘટનાને ત્રાસદી ગણાવી હતી અને એક દિવસનો શોક રાખવાની જાહેરાત કરી હતી. 

શરણાર્થી કેંપમાં રહે છે અધધ 23 લાખ લોકો 

પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ની કાર્યકારી સમિતિના મહાસચિવ હુસૈન અલ-શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈની પ્રાધિકરણે ઈઝરાયેલને ગંભીર બાબતોના પરિવહન માટે ગાઝા સાથે ઈરેજ ક્રોસિંગ ખોલવાનોઆગ્રહ કર્યો છે, જેથી કરીને ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી શકાય. જહેર છે કે, જાબાલિયા ગાઝામાં આઠ શરણાર્થી શિબિરોમાંની એક છે, જ્યાં 23 લાખ લોકો રહે છે. આ વિસ્તાર દુનિયાની સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંનો એક છે. 

સંયુક્ત રાષ્ટ્રએ પણ વ્યક્ત કર્યો શોક

અલ-શેખે ટ્વિટર પર કહ્યું હતું કે,રાષ્ટ્રપતિએ તત્કાળ તમામ પ્રકારની તબિબિ અને અન્ય મદદ પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે. ઈરેઝ ક્રોસિંગની વ્યવસ્થા સંભાળનારી ઈઝરાયેલી રક્ષા મંત્રાલયના એકમ  COGATના એકપ્રવક્તાએ જણાવ્યું હતું કે,  ઈઝરાયેલ જરૂરિયાતના આધારે મદદ પુરી પાડશે. જ્યારે સંયુક્ત રાષ્ત્તના મધ્ય પૂર્વ શાંતિ દૂત ટોર વેન્સલેન્ડે પણ ટ્વિટર પર એક પોસ્ટમાં ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનો પ્રતિ 'શોક સંવેદના' વ્યક્ત કરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget