શોધખોળ કરો

Maldives: માલદીવની રાજધાનીના મેયરની ચૂંટણી હારી મુઈઝુની પાર્ટી, ભારત સમર્થક નેતાની જીત

Maldives: ભારત સાથેના સંબંધોના કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના જ દેશમાં બદનામ થઈ રહ્યા છે.

Maldives: માલદીવ અને ભારત વચ્ચે તણાવ ચાલુ છે. ભારત સાથેના સંબંધોના કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના જ દેશમાં બદનામ થઈ રહ્યા છે. દરમિયાન, રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં મુઇઝુની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે મુઈઝુએ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પોતાના ત્રણ મંત્રીઓને બરતરફ કર્યા હતા.

ભારતના સમર્થક પક્ષનો વિજય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ માલેમાં મેયરની ચૂંટણી જીતી લીધી છે. MDP ઉમેદવાર આદમ અઝીમને માલેના નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે અઝીમ પહેલા મુઈઝુ જ માલેના મેયર હતા પરંતુ મુઈઝુએ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, MDPનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરી રહ્યા છે, જેને ભારત તરફી માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઝીમે મોટા માર્જિનથી જીત મેળવી છે. રાજકીય નિષ્ણાતોના મતે, મેયરની ચૂંટણીમાં જીત MDPના રાજકીય નસીબને પુનર્જીવિત કરશે તેવી અપેક્ષા છે. જો કે, એમડીપી પાસે હજુ પણ સંસદમાં ઓછી બહુમતી છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ

તાજેતરમાં માલદીવની પાર્ટી ધ ડેમોક્રેટ્સના સભ્ય અલી અઝીમે માંગ કરી છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. અલી અઝીમે માલદીવની સૌથી મોટી વિપક્ષી પાર્ટી MDP પાસેથી મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. અન્ય એક નેતાએ પણ માલદીવના વિદેશ મંત્રીને સમન્સ મોકલીને તેમને સંસદમાં બોલાવવાની માંગ કરી છે કારણ કે તેમણે પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણીના મામલે કોઈ કાર્યવાહી કરી નથી.

'માલદીવની અર્થવ્યવસ્થા પર પડશે મોટી અસર'

અન્ય એક વિપક્ષી નેતા અહેમદ માહલૂફે માલદીવ સરકારને ચેતવણી આપી છે કે જો ભારત સાથે ચાલી રહેલા તણાવને કારણે ભારતીય પ્રવાસીઓ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખશે તો માલદીવની અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડશે. તેમણે કહ્યું કે આ અસર એટલી મોટી હશે કે તેમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. વાસ્તવમાં માલદીવના નેતાઓ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના વિવાદને કારણે તાજેતરના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ માલદીવનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ અને પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે પણ સરકારની ટીકા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget