Myanmar Earthquake: મ્યાનમારમાં વહેલી સવારે ફરી ધરતી ધ્રુજી,ઘર છોડીને ભાગ્યા લોકો; જાણો કેવી છે સ્થિતિ
Myanmar Earthquake: ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે (13 એપ્રિલ, 2025) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે.

Myanmar Earthquake: ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે (13 એપ્રિલ, 2025) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. તાજેતરમાં અહીં આવેલા ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 07:54:58 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
EQ of M: 5.1, On: 13/04/2025 07:54:58 IST, Lat: 21.13 N, Long: 96.08 E, Depth: 10 Km, Location: Myanmar.
— National Center for Seismology (@NCS_Earthquake) April 13, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Fr8qprdNdt
28 માર્ચે મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી
28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મંડલે ક્ષેત્રમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપથી દેશમાં ભારે વિનાશ થયો. આ ભૂકંપ મ્યાનમારના ઇતિહાસમાં સૌથી વિનાશક ભૂકંપોમાંનો એક હતો. મ્યાનમાર સેનાના જણાવ્યા અનુસાર, આ ભૂકંપમાં 3600 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, સેંકડો લોકો તેમના પરિવારોથી અલગ થઈ ગયા.
વિશ્વના ઘણા દેશોએ મદદ મોકલી
આ ભૂકંપથી મોબાઇલ કોમ્યુનિકેશન સિસ્ટમને પણ ગંભીર નુકસાન થયું છે. 'ધ મિરર' અનુસાર, ભૂકંપને કારણે કુલ 6,730 સંદેશાવ્યવહાર સ્ટેશનોને નુકસાન થયું હતું, જેમાંથી લગભગ છ હજારનું સમારકામ કરવામાં આવ્યું છે. ભારત, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોએ બચાવ માટે મ્યાનમારમાં પોતાની ટીમો મોકલી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ મ્યાનમારને મદદ કરવા માટે રાહત અને બચાવ ટીમો, તબીબી ટીમો અને જરૂરી સંસાધનો મોકલ્યા હતા.
આ વર્ષે 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 3 હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે તેના પાડોશી દેશ થાઈલેન્ડમાં પણ 17 લોકોના મોત થયા હતા. વૈજ્ઞાનિકોના મતે, મ્યાનમારના ભૂકંપ દ્વારા છોડવામાં આવેલી ઊર્જા 300થી વધુ પરમાણુ બોમ્બ જેટલી હતી. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.





















