શોધખોળ કરો

Operation Kaveri: ક્યાં સુધી વતન પરત ફરશે સુદાનમાં ફસાયેલા ભારતીયો? જાણો ક્યાં સુધી પહોંચ્યું ઓપરેશન 'કાવેરી'

સમગ્ર સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે

Operation Kaveri:  સુદાન સંકટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીને હવે ઝડપી કરવામાં આવ્યું છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં 400 થી વધુ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીય લોકો અંગે ભારત સરકારની ચિંતા વધી છે. હવે વધુ 135 ભારતીયો સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા છે. આ લોકો IAF C-130J વિમાનમાં સવાર છે. તેમને મુશ્કેલીગ્રસ્ત સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

આ પહેલા બુધવારે (26 એપ્રિલ) સવારે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને 148 ભારતીયોની બીજી બેચનું સ્વાગત કર્યું હતું. આ સિવાય અન્ય નૌકાદળનું જહાજ INS સુમેધા 278 મુસાફરો સાથે જેદ્દાહ બંદરે પહોંચ્યું હતું. દરમિયાન, વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી IAF C-130J ફ્લાઇટ પોર્ટ સુદાનથી 135 વધુ મુસાફરોને લઈને જેદ્દાહ પહોંચી છે. ઓપરેશન કાવેરી હેઠળ બહાર કાઢવામાં આવેલા લોકોની આ ત્રીજી બેચ છે.

સુદાનમાં આશરે 3,000 ભારતીયો છે

સમગ્ર સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

PM મોદીની સૂચના બાદ વિદેશ મંત્રાલય એક્શનમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે તાજેતરમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિદેશ મંત્રીઓ સાથે સુદાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

Sudan WHO: સુદાનમાં બાયોલોજીકલ યુદ્ધ ફાટી નિકળવાના એંધાણ! દુનિયામાં ફફડાટ

Sudan Fighters : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આજે સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે, લડવૈયાઓએ એક કેન્દ્રીય જાહેર પ્રયોગશાળા પર કબજો કરી લીધો છે જેમાં પોલિયો અને ઓરી સહિતના ગંભીર રોગોના નમૂનાઓ રાખવામાં આવ્યા હતા. સંગઠનનું કહેવું છે કે, આનાથી 'અત્યંત, અત્યંત ખતરનાક' સ્થિતિ સર્જાઈ છે. WHOના તાજેતરના ડેટા અનુસાર, સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) અર્ધલશ્કરી દળો વચ્ચે 15 એપ્રિલના રોજ લડાઈ શરૂ થઈ હતી. તેમાં ઓછામાં ઓછા 459 લોકોના મોત થયા છે અને 4072 લોકો ઘાયલ થયા છે.

સુદાનમાં WHOના પ્રતિનિધિ, નીમા સઈદ આબિદે જિનીવામાં એક વીડિયો લિંક દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, લડાઈ જૂથ દ્વારા કેન્દ્રીય જાહેર આરોગ્ય પ્રયોગશાળાનો કબજો એક વિશાળ જૈવિક જોખમ ઊભું કરે છે. તેમણે કહ્યું હતું કે, ટેકનિશિયન સામગ્રીને સુરક્ષિત કરવા માટે લેબ સુધી પહોંચવામાં સક્ષમ નથી. સઈદ આબિદે કહ્યું હતું કે, આ ગંભીર ચિંતાની બાબત છે, ટેકનિશિયન લેબમાં જઈને જૈવિક સામગ્રીને સુરક્ષિત કરવામાં અસમર્થ છે.' કયા પક્ષે લેબ પર કબજો જમાવી લીધો છે તે બાબતની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget