Pakistan Army Chief: પાકિસ્તાનના આર્મી ચીફ અને PM શહબાઝે જેલમાં બંધ ઇમરાન ખાન પાસેથી માંગી મદદ, શું બનાવી રહ્યા છે યોજના?
Pakistan Army Chief: ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે જેલમાં બંધ ઇમરાન ખાન પાસેથી મદદ માંગી છે, જેનાથી રાજકીય સમીકરણોમાં પરિવર્તનની અટકળો વધી રહી છે.

Pakistan Army Chief: પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ રાજકીય સમીકરણોમાં નાટકીય પરિવર્તન તરફ ઈશારો કરી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા અને સંભવિત લશ્કરી પ્રતિક્રિયા બાદ ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પાસેથી મદદ માંગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓને ઇમરાન ખાન પાસે મોકલવામાં આવ્યા છે જેથી તેઓ પીટીઆઈને અસીમ મુનીર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો રોકવા અને સિંધમાં પ્રદર્શનો રોકવા માટે રાજી કરી શકે. 2019 માં પુલવામા હુમલા પછી, તત્કાલીન પીએમ ઇમરાન ખાને ISI ચીફ અસીમ મુનીરને તેમના કાર્યકાળના અંત પહેલા જ હટાવી દીધા હતા. ISI ના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું. આ પછી, આસીમ મુનીર અને ઇમરાન ખાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા. એવું માનવામાં આવે છે કે આ દુશ્મનાવટને કારણે જ આસીમ મુનીરે ઇમરાનને જેલ મોકલવાની રણનીતિ બનાવી હતી. હવે એ જ આસીમ મુનીરને ઇમરાન ખાન પાસે મદદ માંગવાની ફરજ પડી છે.
રાજકીય સમીકરણમાં પરિવર્તનના સંકેતો
પહેલગામ હુમલા પછી, ભારત તરફથી મળેલા કડક રાજકીય અને લશ્કરી સંકેતોએ પાકિસ્તાનના આંતરિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. સિંધ, કરાચી અને લાહોર જેવા વિસ્તારોમાં સાયરન સિસ્ટમ, બંકર બાંધકામ અને રેડ એલર્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છે. પાકિસ્તાન સરકારને ડર છે કે દેશની અંદર બળવો ફાટી શકે છે, તેઓ ખાસ કરીને સિંધમાં પીટીઆઈ સમર્થકો અને ચળવળોથી ડરે છે. એટલા માટે આસીમ મુનીર અને શાહબાઝ શરીફે ઇમરાન ખાનને ખુશ કરવાનો રસ્તો પસંદ કર્યો છે, જેથી દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને શાંત કરી શકાય.
ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ભય
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે સિંધુ જળ સંધિ રદ કરી. આ પછી, પાકિસ્તાની નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે. તેમને ડર છે કે ભારત ગમે ત્યારે તેમના પર હુમલો કરી શકે છે. આ ઉપરાંત ભારતના કારણે ડરી ગયેલા પાકિસ્તાને અમેરિકા પાસે પણ મદદ માગી હતી. પરંતુ તેમને અમેરિકાએ રોકડૂ પરખાવી દીધુ અને ભારતનો સાથ આપ્યો.




















