શોધખોળ કરો

Pakistan Atom Bomb: શું સાચે જ તેના પરમાણું બોમ્બ વેચવા જઈ રહ્યું છે પાકિસ્તાન?

આ સ્થિતિમાં પાકિસ્તાન આર્મી અને ISIના નજીકના ઝૈદ હામિદે પાક સરકારને આ આર્થિક સંકટમાંથી બહાર આવવા વિચિત્ર સલાહ આપી દીધી છે.

Pakistan Nuclear Weapons: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સરકારી તિજોરીમાં નાણાંની ભારે અછત ઉભી થઈ છે. મોંઘવારી એ હદે વધી ગઈ છે કે,અ પાકિસ્તાનની જનતાને બે ટંક ખાવાના ફાંફાં પડી રહ્યાં છે. આ કંગાળિયતમાંથી બહાર આવવા અને પોતાની સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન ચારેકોર હવાતિયા મારી રહ્યું છે, પરંતુ ના તો તેને IMF, ના તો વિશ્વ બેંક પાસેથી લોન મળી રહી છે અને ના તો સદાબહાર દોસ્ત ચીન વ્હારે આવી રહ્યું છે. તો મુસ્લિમ દેશોના મસીહા બનતા ફરતા પાકિસ્તાનનો હાથ હવે મુસ્લીમ દેશના અગ્રણી સાઉદી અરેબિયા પણ ઝીણાના દેશનો હાથ ઝાલવા તૈયાર નથી. 

આ સ્થિતિમાં પાકિસ્તાન આર્મી  અને ISIના નજીકના ઝૈદ હામિદે પાક સરકારને આ આર્થિક સંકટમાંથી બહાર આવવા વિચિત્ર સલાહ આપી દીધી છે. ઝૈદ હામિદે શાહબાઝ સરકારને તેના પરમાણુ બોમ્બ વેચવાની સલાહ આપી દીધી છે. હામિદે કહ્યું છે કે, જો આપણે સાઉદી અરેબિયા અથવા તુર્કીને 5 પરમાણુ હથિયારો વેચીએ તો આપણને અબજો ડોલર મળશે.

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારો વેચીને ગરીબી દૂર કરશે? જો હા, તો તે આ રીતે કેટલા પૈસા એકઠા કરી શકશે? વાસ્તવમાં, પરમાણુ હથિયારોમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમ અને પ્લુટોનિયમ વિશ્વમાં બહુ ઓછા સ્થળોએ જ જોવા મળે છે અને આ તત્વોની કિંમત ઘણી વધારે છે. યુરેનિયમ એ વિશ્વના સૌથી મોંઘા તત્વોમાંનું એક છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમને ખૂબ જ સંવર્ધિત કરવું પડે છે, એટલે કે તેને ખૂબ શુદ્ધ કરીને જ તેમાંથી પરમાણુ શસ્ત્રો બનાવી શકાય છે. હાલમાં પાકિસ્તાન ઇસ્લામિક વિશ્વમાં એકમાત્ર દેશ છે જે આ ક્ષમતા ધરાવે છે. એટલા માટે પાકિસ્તાન પોતાને પરમાણુ શક્તિ માને છે.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક ઝૈન હમીદે પોતાની સરકારને સલાહ આપતા એક વીડિયોમાં કહ્યું છે કે, જો તમે સાઉદી અરેબિયાને 5 વોરહેડ (પરમાણુ હથિયાર) આપો છો, તો તેઓ તમને એક કલાકમાં 25 બિલિયન ડોલર આપશે. તેવી જ રીતે જો તુર્કી 5 વોરહેડ્સ આપે તો તે પાકિસ્તાનને 20 અબજ ડોલર પણ આપી શકે છે.

શું પાકિસ્તાન 40 વોરહેડ્સ વેચીને તેનું દેવું ચૂકવી શકશે?

બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે હવે 165 પરમાણુ હથિયારોનો ભંડાર છે. ઝૈદ હમીદના દાવા મુજબ જો પાકિસ્તાનના 5 વોરહેડ્સની કિંમત $25 બિલિયન છે, તો 20 વોરહેડ્સ વેચીને તેને 100 બિલિયન ડોલર મળશે. તેવી જ રીતે 40 વોરહેડ્સ વેચીને તેને 200 બિલિયન ડોલર મળશે. પાકિસ્તાનને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે એટલી જ રકમની જરૂર છે, જેમાં તેને તેના વિદેશી દેવું ચૂકવવા માટે $100 બિલિયનથી વધુની જરૂર છે.

પરમાણુ હથિયારની કિંમત કેટલી છે?

જો કે, ઘણા નિષ્ણાતો ઝૈદ હામિદના દાવાને માવવા નથી કે પાકિસ્તાનને 5 વોરહેડ્સ માટે 25 અબજ ડોલર મળશે. હકીકતે દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા પરમાણુ શસ્ત્રોની કિંમત વિશેના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની કિંમત $1.1 બિલિયન અને $3.2 બિલિયનની વચ્ચે હશે. ગયા વર્ષે રોઇટર્સે એક રિપોર્ટમાં આ વાત જણાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જો ઉત્તર કોરિયા પાસે 60 વોરહેડ છે, તો દરેક વોરહેડની કિંમત લગભગ $18 મિલિયનથી $53 મિલિયનની વચ્ચે હશે. જો કે, ઘણા નિષ્ણાતો કહે છે કે, પરમાણુ બોમ્બની કિંમત તેના કદ, ગુણવત્તા અને વિશ્વસનીયતા પર નિર્ભર રહેશે. અત્યાર સુધી પરમાણુ હથિયારનો ઉપયોગ માત્ર એક જ વાર થયો છે, જેને અમેરિકાએ જાપાન પર ફેંક્યો હતો. ત્યાર બાદ અમેરિકન પરમાણુ બોમ્બ વધુ ભરોસાપાત્ર બન્યો હતો.

શું પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વેચી શકશે?

ઘણા ભારતીય સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે, પાકિસ્તાન પરમાણુ હથિયારોના ભંડાર પર 'જૂઠ' ફેલાવે છે. એક સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના ખોટા દાવાથી ચિંતિત નથી. આનો અર્થ એ થયો કે, વિશ્વને પાકિસ્તાનના પરમાણુ હથિયારોની ક્ષમતા પર પણ શંકા છે. એવા કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો છે જે સ્પષ્ટપણે જણાવે છે કે, પાકિસ્તાન જેવો દેશ બીજાને પરમાણુ હથિયારોની ટેક્નોલોજી ન આપી શકે. એકવાર એવું બન્યું કે જ્યારે પાકિસ્તાનના 'ન્યુક્લિયર પ્રોગ્રામ'ના પિતા ડૉ.અબ્દુલ કાદિર ખાને ઉત્તર કોરિયાને પરમાણુ ટેક્નોલોજી આપવાનો પ્રયાસ કર્યો ત્યારે દુનિયાએ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. આ સ્થિતિમાં પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારો વેચે તેવી શક્યતા ખુબ જ ઓછી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
Embed widget