શોધખોળ કરો

PM Modi : પાકિસ્તાનમાં પણ મુસલમાનોએ કેમ કહ્યું - 'મોદી હૈ તો મુમકિન હૈ"?

પાકિસ્તાનના અહમદિયા સમુદાયના મુસ્લિમોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી દ્વારા "બધા સમુદાયોનું સન્માન" અમને પસંદ આવ્યું છે.

Pakistanis on Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, ભારતના કટ્ટર દુશ્મન દેશ ગણાતા પાકિસ્તાનમાં પણ પીએમ મોદીના ચહકો મોટી સંખ્યામાં છે. પાકિસ્તાની મુસ્લિમોના એવા ઘણા સમુદાયો છે કે જેઓ મોદીના વખાણ કરતા રહે છે. હાલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં NID ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'વિશ્વ સદભાવના ઈવેન્ટ'માં પાકિસ્તાનીઓના મેઢેથી 'મોદી હૈ તો મુમકીન હૈ...'નો નાદ ગુંજી રહ્યો છે.

ANI અનુસાર, ભારતીય લઘુમતી ફાઉન્ડેશન (IMF), NID ફાઉન્ડેશન (દિલ્હી) અને ઓસ્ટ્રેલિયામાં નામધારી શીખ સોસાયટી દ્વારા 23 એપ્રિલે વિશ્વ સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, ઉપદેશકો અને સંશોધકોએ ભાગ લીધો હતો. જ્યારે વિવિધ ધાર્મિક સમુદાયોના પાકિસ્તાની લોકો પણ આવ્યા હતા. તેમાંથી ઘણા અહમદિયા મુસ્લિમ સમુદાયના હતા.

પાકિસ્તાનીઓએ ભારતીય પીએમના કર્યા ભારોભાર વખાણ 

પાકિસ્તાનના અહમદિયા સમુદાયના મુસ્લિમોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી દ્વારા "બધા સમુદાયોનું સન્માન" અમને પસંદ આવ્યું છે. તેઓ દરેકને સાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે અમે તેમની પ્રશંસા કરીએ છીએ. અહમદિયા મુસ્લિમ સમુદાયના સભ્ય કે જે લાહોરના છે, ડૉ. તારિક બટ્ટે જણાવ્યું હતું કે, હું અંગત રીતે કહી શકું છું કે, મારા ઘણા મિત્રો ભારતીય છે અને મેં તેમને એક સાથે ઘણી પ્રવૃત્તિઓ કરતા જોયા છે. હું પોતે તેમના કાર્યક્રમોમાં હાજરી આપું છું. મને લાગે છે કે, હવે ભારતીય મુસ્લિમો અને પાકિસ્તાની મુસ્લિમો વચ્ચે સદભાવ વધી રહ્યો છે. તેમની બંને વચ્ચે પરસ્પર પહોંચ વધી રહી છે. અમે મતભેદોની સરખામણીએ વધુ સમાનતા લાવવા માંગીએ છીએ.

'મોદી પાસે બધાને સાથે લઈ જવાનો કરિશ્મા'

ઈવેન્ટને સદ્ભાવનાની એક મહાન પહેલ ગણાવતા અને હિંદુ અને મુસ્લિમ સમુદાયને એકસાથે લાવવા અને એક મંચ પર લાવવા માટે તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી સમુદાયોને સૌહાર્દ અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે અન્ય સમુદાયો સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા એકદમ યોગ્ય કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, PM મોદી પાસે એવો કરિશ્મા છે જ્યાં લોકો તેમના ધાર્મિક વલણને ધ્યાનમાં લીધા વિના તેમને અનુસરે છે, તે એક સારી બાબત છે! તેમણે એમ પણ કહ્યું હતું કે, હું મારા તરફથી કહીશ કે "મોદી હૈ તો મુમકીન હૈ."

"હું તમારા ઘરનો એક ભાગ છું"

કરાચીના દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ, તહર શાકરે જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં એક ઇવેન્ટ કરી હતી જ્યાં અમારી યુનિવર્સિટીનો એક નવો અધ્યાય – મરોલ, મુંબઈમાં અલજામિયા-તુસ-સૈફિયાહ અને મોદીજી પોતે આવ્યા હતા અને તેમાંની એક વાત તેમણે કહી હતી કે, "મહેરબાની કરીને મને બહુ માનભર્યા શબ્દોથી ના બોલાવો, હું તમારા જ ઘરનો એક ભાગ છું."

કાર્યક્રમમાં જોવા મળી 'વસુધૈવ કુટુંબકમ'ની ઝલક

NID ફાઉન્ડેશનનો વિશ્વ ગુડવિલ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બુંજિલ પેલેસમાં યોજાયો હતો, જેમાં વિશ્વના દરેક ખૂણાના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વસુધૈવ કુટુંબકમ'ના વિઝન સાથે 'એક પરિવાર' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget