શોધખોળ કરો

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં, પુલવામા હુમલા પાછળનો આતંકવાદી માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનને અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને ઠાર માર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પુલવામા હુમલા સાથે સંકળાયેલ આતંકી હમઝા બુરહાન PoKમાં માર્યો ગયો.
  • મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ ઘટનાસ્થળે જ હત્યા કરી.
  • બુરહાન મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ પદ પર પણ હતો.
  • ભારતે ૨૦૨૨માં તેને UAPA હેઠળ આતંકી જાહેર કર્યો હતો.

Hamza Burhan Encounter: 14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાતા આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવ્યો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમઝા બુરહાન પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હતો અને પુલવામા હુમલાના કાવતરામાં તેની મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો, જેમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ત્યારબાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

રહસ્યમય હુમલાઓનો સિલસિલો

સૂત્રોના જણાવ્યા મુજબ, હમઝા બુરહાન લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. તેની હત્યા એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો અને કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા અનેક લોકો પર રહસ્યમય હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક આતંકીઓ કાં તો ગેંગવોરમાં માર્યા ગયા છે અથવા અજ્ઞાત હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો...5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?

મુઝફ્ફરાબાદમાં થયેલી આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

હમઝા મુઝફ્ફરાબાદમાં પ્રિન્સિપાલના પદ પર હતો

આતંકી સંગઠન અલ-બદરના આતંકી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર છે. તે વર્ષ 2020 માં પુલવામામાં CRPF પર થયેલા ગ્રેનેડ એટેકનો માસ્ટરમાઇન્ડ હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ સમયે હમઝા બુરહાન મુઝફ્ફરાબાદની 'અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' માં પ્રિન્સિપાલના પદ પર તૈનાત હતો.

ભારત સરકારે જાહેર કર્યો હતો આતંકી

વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન ઉર્ફે 'ડોક્ટર' ને UAPA હેઠળ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. અર્જુમંદ ગુલઝાર ડાર વર્ષ 2015 થી પાકિસ્તાનમાં રહી રહ્યો હતો. તે અલ-બદરનો કમાન્ડર હોવાની સાથે-સાથે નવા આતંકીઓની ભરતી  કરવાનું કામ પણ કરતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ પદ પર હોવા છતાં તે પડદા પાછળથી આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો, જેનો અંત હવે મુઝફ્ફરાબાદમાં થયેલા રહસ્યમય હુમલામાં થયો છે.

Frequently Asked Questions

હમઝા બુરહાનની હત્યા ક્યાં અને ક્યારે થઈ?

હમઝા બુરહાનની હત્યા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે. તેની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હમઝા બુરહાન કયા હુમલા સાથે જોડાયેલો હતો?

હમઝા બુરહાન 14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલો હોવાનું મનાય છે. તે આ હુમલાના કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

હમઝા બુરહાનનું વાસ્તવિક નામ શું હતું?

આતંકી સંગઠન અલ-બદરના આતંકી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું. તેને 'ડોક્ટર' તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

હમઝા બુરહાન કયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ હતો?

આશ્ચર્યજનક રીતે, હમઝા બુરહાન મુઝફ્ફરાબાદની 'અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' માં પ્રિન્સિપાલના પદ પર તૈનાત હતો, જ્યારે તે પુલવામા ગ્રેનેડ એટેકનો માસ્ટરમાઇન્ડ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget