શોધખોળ કરો

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં, પુલવામા હુમલા પાછળનો આતંકવાદી માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનને અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને ઠાર માર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પુલવામા હુમલા સાથે સંકળાયેલ આતંકી હમઝા બુરહાન PoKમાં માર્યો ગયો.
  • મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ ઘટનાસ્થળે જ હત્યા કરી.
  • બુરહાન મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ પદ પર પણ હતો.
  • ભારતે ૨૦૨૨માં તેને UAPA હેઠળ આતંકી જાહેર કર્યો હતો.

Hamza Burhan Encounter: 14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાતા આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવ્યો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમઝા બુરહાન પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હતો અને પુલવામા હુમલાના કાવતરામાં તેની મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો, જેમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ત્યારબાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

રહસ્યમય હુમલાઓનો સિલસિલો

સૂત્રોના જણાવ્યા મુજબ, હમઝા બુરહાન લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. તેની હત્યા એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો અને કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા અનેક લોકો પર રહસ્યમય હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક આતંકીઓ કાં તો ગેંગવોરમાં માર્યા ગયા છે અથવા અજ્ઞાત હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો...5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?

મુઝફ્ફરાબાદમાં થયેલી આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

હમઝા મુઝફ્ફરાબાદમાં પ્રિન્સિપાલના પદ પર હતો

આતંકી સંગઠન અલ-બદરના આતંકી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર છે. તે વર્ષ 2020 માં પુલવામામાં CRPF પર થયેલા ગ્રેનેડ એટેકનો માસ્ટરમાઇન્ડ હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ સમયે હમઝા બુરહાન મુઝફ્ફરાબાદની 'અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' માં પ્રિન્સિપાલના પદ પર તૈનાત હતો.

ભારત સરકારે જાહેર કર્યો હતો આતંકી

વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન ઉર્ફે 'ડોક્ટર' ને UAPA હેઠળ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. અર્જુમંદ ગુલઝાર ડાર વર્ષ 2015 થી પાકિસ્તાનમાં રહી રહ્યો હતો. તે અલ-બદરનો કમાન્ડર હોવાની સાથે-સાથે નવા આતંકીઓની ભરતી  કરવાનું કામ પણ કરતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ પદ પર હોવા છતાં તે પડદા પાછળથી આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો, જેનો અંત હવે મુઝફ્ફરાબાદમાં થયેલા રહસ્યમય હુમલામાં થયો છે.

Frequently Asked Questions

હમઝા બુરહાનની હત્યા ક્યાં અને ક્યારે થઈ?

હમઝા બુરહાનની હત્યા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે. તેની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હમઝા બુરહાન કયા હુમલા સાથે જોડાયેલો હતો?

હમઝા બુરહાન 14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલો હોવાનું મનાય છે. તે આ હુમલાના કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

હમઝા બુરહાનનું વાસ્તવિક નામ શું હતું?

આતંકી સંગઠન અલ-બદરના આતંકી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું. તેને 'ડોક્ટર' તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

હમઝા બુરહાન કયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ હતો?

આશ્ચર્યજનક રીતે, હમઝા બુરહાન મુઝફ્ફરાબાદની 'અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' માં પ્રિન્સિપાલના પદ પર તૈનાત હતો, જ્યારે તે પુલવામા ગ્રેનેડ એટેકનો માસ્ટરમાઇન્ડ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા
ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget