શોધખોળ કરો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ઈસ્લામિક દેશમાં ભૂખમરાના ભણકારા, ભારત પાસે માગી મદદ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જેમા ઈસ્લામિક દેશો પર તેની સીધી અસર થઈ રહી છે. જેથી તેઓ હવે ભારત પાસે મદદ માગી રહ્યા છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જેમા ઈસ્લામિક દેશો પર તેની સીધી અસર થઈ રહી છે. જેથી તેઓ હવે ભારત પાસે મદદ માગી રહ્યા છે. હકિકતમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજે 200 મિલિયન ટન ઘઉની નિકાસ થાય છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગીદારી 50-50 મિલિયન ટન માનવામાં આવે છે. જ્યારે બાકીના 100 મિલિયન ટનમાં દુનિયાના અન્ય દેશો આવે છે.

લેબનોનમાં ભૂખમરાના એંધાણ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે બંને દેશોની ઘઉંની નિકાસ અચાનક બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘઉં પર નિર્ભર વિશ્વના અન્ય દેશોમાં અનાજની અચાનક અછત ઉભી થઈ છે. આ દેશોમાં ઈસ્લામિક દેશ લેબનોન પણ સામેલ છે. આ દેશ પોતાની જરૂરિયાતના લગભગ 60 ટકા એટલે કે 50 હજાર ટન ઘઉં રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંનો આ પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેના કારણે લેબનોનમાં ઘઉની અછત સર્જાવા લાગી છે, તેમની પાસે ઘઉંનો અનામત સ્ટોક પણ સતત ઘટવા લાગ્યો છે. જેથી લેબનોન ભારત પાસે મદદ માગી રહ્યું છે.

ભારત પાસે મદદની અપીલ

આ અંગે તુર્કીની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, લેબનાનના વેપાર મંત્રી અમીન સલામે લેબનોનમાં ભારતના રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન લેબનીઝ મંત્રીએ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો બંધ થવાની માહિતી આપી અને ભારત પાસે મદદની અપીલ કરી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના રાજદૂત ડૉ. સોહેલ એજાઝ ખાને લેબનીઝ મંત્રીને મદદનું આશ્વાસન આપ્યું છે. રાજદૂતે કહ્યું કે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે અને તે લેબનોનને સપ્લાય કરવા માટે બનતા જરુરી પગલાં લેશે. એક રિપોર્ટ અનુસાર, લેબનાને તેના અનાજ સંકટને દૂર કરવા માટે તુર્કી અને અન્ય દેશો સાથે પણ વાતચીત કરી છે. તેમને ચિંતા છે કે દેશમાં ઘઉંનો અનામત સ્ટોક સતત ખતમ થઈ રહ્યો છે. જો દેશમાં સમયસર ઘઉંની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લાખો લોકોને ભૂખમરાની ઝપેટમાં આવી જશે.

યુક્રેનના બાળકોની મદદે આવ્યો ટેનિસ સ્ટાર

રશિયા અને યુક્રેન  યુદ્ધની અસર કેટલી ભયંકર થઈ તે આંકડા જાણીને સમજી શકાય છે. આ અંગે યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર, યુક્રેનના લગભગ 30 લાખ એટલે કે 7% લોકોએ દેશ છોડી દીધો છે. તો બીજી તરફ, એક અંદાજ મુજબ, યુક્રેનમાં રહેતા અને વિસ્થાપિત લોકોમાં 60 લાખ એવા બાળકો છે જેઓ શાળાથી દૂર થઈ ચૂક્યા છે. હવે ટેનિસ સ્ટાર રોજર ફેડરર આવા બાળકોની મદદ માટે આગળ આવ્યો છે. તેમના ફાઉન્ડેશને આ બાળકોને મદદ કરવા માટે 3.8 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. રોજર ફેડરરે એક ટ્વીટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget