શોધખોળ કરો

અમેરિકાની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના આતંકીઓને પકડવામાં કરશે ભારતની મદદ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે.

Pahalgam terror attack: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે. આ દરમિયાન અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતની સાથે રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તુલસી ગબાર્ડે કહ્યું કે અમે પહેલગામમાં 26 હિંદુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાને પગલે ભારત સાથે એકજૂટતા સાથે ઊભા છીએ. તેમણે કહ્યું, "મારી પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકોની સાથે છીએ. અમે તમારી સાથે છીએ અને આ ઘૃણાસ્પદ હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં તમને સમર્થન આપીએ છીએ." 

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી બર્બર હુમલો છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને મારવામાં આવ્યા  હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ભારતે પાકિસ્તાન પર અનેક નિયંત્રણો પણ લગાવ્યા છે.

નોંધનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે પહેલગામ આતંકી હુમલા વિશે પૂછનાર પાકિસ્તાની પત્રકારને સાંભળવાનો ઇનકાર કર્યાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. બ્રુસે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે છે અને આતંકવાદના તમામ કૃત્યોની સખત નિંદા કરે છે. અમે માર્યા ગયેલા લોકો  અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ."

આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારતને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું, "કાશ્મીરમાંથી ખૂબ જ પરેશાન કરતા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે. અમે માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકો પ્રત્યે અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સંવેદના." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget