શોધખોળ કરો

કેન્દ્રિય મંત્રી વીકે સિંહ પોલેન્ડ-યુક્રેન સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જાણો શું કહ્યુ?

કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ બુધવારે પોલેન્ડ-યુક્રેન સરહદ પર બુડોમિર્ઝની મુલાકાત લીધી જ્યાં તેઓ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ બુધવારે પોલેન્ડ-યુક્રેન સરહદ પર બુડોમિર્ઝની મુલાકાત લીધી જ્યાં તેઓ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા અને  અને તેમને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. આ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાંથી તેઓને ભારત મોકલવામાં આવશે.

વીકે સિંહે ટ્વીટ કર્યું

પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા બાદ સિંહે ટ્વિટ કરી જણાવ્યું હતુ કે તેઓ થાકી ગયા છે પરંતુ વિદ્યાર્થીઓને રાહત છે કે તેમને તેમના વતન પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિંહે ટ્વીટમાં જણાવ્યું કે 'એ કહ્યા વિના કહી શકાય કે વિદ્યાર્થીઓનું મનોબળ ઊંચું છે અને હું તેમની ધીરજથી પ્રભાવિત છું, જય હિંદ.'

સરકાર દ્ધારા યુક્રેનમાંથી  ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે જે ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવ્યા છે તેમાં વિકે સિંહનો પણ સમાવેશ થાય છે. સિંહ અને પોલેન્ડમાં ભારતના રાજદૂત નગમા મલિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બુડોમિર્ઝની મુલાકાતે ગયા હતા.વોર્સો (પોલેન્ડ)માં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ પશ્ચિમ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે પોલેન્ડ સરહદ પર એક નવો એન્ટ્રી પોઈન્ટ બનાવ્યો છે.

દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે લવિવ, ટેરનોપિલ અને પશ્ચિમ યુક્રેનના અન્ય સ્થળોએ ફસાયેલા અથવા રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો પોલેન્ડમાં ઝડપી પ્રવેશ માટે વહેલામાં વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ પર પહોંચી જાય. વૈકલ્પિક રીતે તેઓને હંગેરી અથવા રોમાનિયા માટે દક્ષિણ તરફ જવાની સલાહ આપવામાં આવી છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને શેહિની-મેડિકા સરહદ પાર ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે તેના અધિકારીઓને મેડિકા અને બુડોમિર્ઝ સરહદી ચોકીઓ પર તૈનાત કર્યા છે જેથી તમામ સ્થળાંતર કરનારાઓને મળી શકાય અને ભારત પરત લાવી શકાય. દરમિયાન, સરકારના અન્ય વિશેષ દૂત કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે યુક્રેનની સરહદ નજીક સ્લોવાકિયાના કોસિસે પહોંચ્યા હતા.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોઓને લાવવા મોદી સરકારે શરૂ કર્યુ ઓપરેશન ગંગા

સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમા અને બ્રુસેલ્સમાં ભારતીય દૂતાવાસના પ્રથમ સચિવ પંકજ ફુકન પણ 'ઓપરેશન ગંગા' હેઠળ સ્થળાંતર મિશનની સરળ બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget