શોધખોળ કરો

‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર લખાયેલા નવા પુસ્તકમાં મોટો ખુલાસો; રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની ચર્ચા વખતે જે.ડી. વાન્સે ભારતીય સૈનિકોને મોકલવાનું સૂચન કર્યું હતું, જેને ટ્રમ્પે ફગાવી દીધું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુક્રેનમાં શાંતિ સેના મોકલવા અમેરિકામાં ભારતનું નામ ચર્ચાયેલું.
  • ટ્રમ્પે ભારતીયો કંઈ ચૂકવતા નથી કહી પ્રસ્તાવ ફગાવ્યો હતો.
  • આ ખુલાસો મેગી હેબરમેનના
  • ભારત ફક્ત UN શાંતિ મિશનમાં જ સૈનિકો મોકલે છે.

Trump Regime Change book: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિ જાળવવા માટે ભારતીય સેનાને યુક્રેન મોકલવાની અમેરિકામાં ચર્ચા ચાલી રહી હતી. પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતને સીધી નકારી કાઢી છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે ભારત ક્યારેય યુક્રેનમાં પોતાની શાંતિ સેના નહીં મોકલે. મજાની વાત એ છે કે, ટ્રમ્પે આની પાછળ જે કારણ આપ્યું છે તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પ્રેમ કરે છે, પણ ભારતીયો તેમને જે કંઈ મળે છે તેના બદલામાં કોઈ ચૂકવણી કરતા નથી. આ સમગ્ર વાતનો ખુલાસો અમેરિકામાં છપાયેલા એક નવા પુસ્તકમાંથી થયો છે.

નવા પુસ્તક 'રેજિમ ચેન્જ' માંથી થયો ખુલાસો

આ સમગ્ર મામલો ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર લખાયેલા એક નવા પુસ્તક "રેજિમ ચેન્જ" (Regime Change) માં સામે આવ્યો છે. આ પુસ્તક મેગી હેબરમેન અને જોનાથન સ્વાન દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક મુજબ, ગત વર્ષે 2025 માં વ્હાઇટ હાઉસમાં રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે અટકાવવું તેના પર એક મહત્વની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ હાજર હતા અને તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે પણ ચર્ચા કરી રહ્યા હતા.

જે.ડી. વાન્સે આપ્યું હતું ભારતનું નામ

બેઠક દરમિયાન એ વાત પર ચર્ચા થઈ રહી હતી કે સુરક્ષાની ખાતરી કરવા માટે યુક્રેનમાં કયા દેશના સૈનિકોને તૈનાત કરવા? એ તો નક્કી જ હતું કે બ્રિટન કે નાટો (NATO) દેશના સૈનિકોને ત્યાં મોકલી શકાય નહીં, કારણ કે રશિયાને તે જરાય મંજૂર નહોતું. આવી સ્થિતિમાં, જે.ડી. વાન્સે સૂચન કર્યું કે ભારત અથવા સાઉદી અરેબિયામાંથી શાંતિ રક્ષક સૈનિકોને યુક્રેન મોકલવા જોઈએ, કારણ કે ભારતના રશિયા સાથે એકદમ સારા સંબંધો છે. પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને બહુ વહાલા છે, પણ ભારતીયો જે કંઈ લે છે તેના માટે પૈસા ચૂકવતા નથી."

આ પણ વાંચોઃ અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો

શું છે ભારતનો સત્તાવાર નિયમ?

જોકે, ભારતનો આ અંગેનો ઈતિહાસ અને નિયમો એકદમ સ્પષ્ટ છે. ભારતે છેલ્લા 4 દાયકાથી (1980 ના દાયકામાં શ્રીલંકા બાદ) અન્ય કોઈ દેશમાં પોતાની રીતે શાંતિ સેના મોકલી નથી. હા, એ વાત સાચી છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના શાંતિ રક્ષા મિશનમાં સૈનિકો મોકલવામાં ભારત દુનિયાના ટોચના દેશોમાં સામેલ છે. ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકો ફક્ત UN ના નેજા હેઠળ જ કોઈ દેશમાં શાંતિ સ્થાપવા જઈ શકે છે, પરંતુ 2 દેશો વચ્ચેના અંગત યુદ્ધમાં ભારત સીધી રીતે દખલગીરી કે પોતાની સેના તૈનાત કરતું નથી.

આ પણ વાંચોઃ ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

Frequently Asked Questions

ટ્રમ્પે યુક્રેનમાં ભારતીય સેના મોકલવાનો પ્રસ્તાવ શા માટે નકાર્યો?

ટ્રમ્પે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો કારણ કે તેમને લાગે છે કે ભારતીયો જે કંઈ લે છે તેના માટે ચૂકવણી કરતા નથી, ભલે તેઓ પીએમ મોદીને પ્રેમ કરતા હોય. આ ખુલાસો 'રેજિમ ચેન્જ' પુસ્તકમાં થયો છે.

ટ્રમ્પના આ નિવેદન વિશેની માહિતી ક્યાંથી સામે આવી છે?

આ માહિતી 'રેજિમ ચેન્જ' નામના નવા પુસ્તકમાંથી સામે આવી છે, જે મેગી હેબરમેન અને જોનાથન સ્વાન દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અન્ય દેશોમાં શાંતિ સેના મોકલવા અંગે ભારતની સત્તાવાર નીતિ શું છે?

ભારતે 1980ના દાયકા (શ્રીલંકા) પછી ક્યારેય પોતાની રીતે અન્ય કોઈ દેશમાં શાંતિ સેના મોકલી નથી. ભારતીય સૈનિકો ફક્ત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનમાં જ ભાગ લે છે.

યુક્રેનમાં ભારતીય શાંતિ રક્ષક સૈનિકો મોકલવાનું સૂચન કોણે કર્યું હતું?

વ્હાઇટ હાઉસની બેઠક દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારત અથવા સાઉદી અરેબિયામાંથી શાંતિ રક્ષક સૈનિકો મોકલવાનું સૂચન કર્યું. તેમણે ભારતના રશિયા સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget