શોધખોળ કરો
Astrology Tips: ખાંડથી પણ દૂર થઈ જાય છે મોટામાં મોટી સમસ્યા, જાણો ઉપાય
રસોડામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો પૂજા અથવા ઉપાયના સમયે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આમાંથી એક ખાંડ છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

વ્યક્તિના જીવનની સૌથી મોટી સમસ્યાઓ ખાંડનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે. ચાલો જાણીએ
2/7

કોઈપણ કામ માટે ઘરેથી નીકળતી વખતે સફળતા મેળવવા માટે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરીને રાખો. ઘરની બહાર નીકળતી વખતે આ પાણી પીવો. એવું માનવામાં આવે છે કે આનાથી તમારા કામ પૂર્ણ થવાની શક્યતા વધી જાય છે.
3/7

કુંડળીમાં નબળો સૂર્ય હોવાને કારણે વ્યક્તિને નોકરી અને કરિયર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તાંબાના વાસણમાં સાકર નાખી સૂર્યદેવને નિયમિત રીતે અર્ઘ્ય ચઢાવવાથી સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.
4/7

રાહુ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લાલ રંગના કપડામાં થોડી ખાંડ બાંધી લો. અને રાત્રે સૂતી વખતે તેને તકિયા નીચે રાખો. આમ કરવાથી રાહુ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
5/7

જો ઘરમાં પિતૃદોષ હોય તો કાગડાને ખાંડથી બનેલી મીઠી રોટલી ખવડાવો. તેની સાથે પાણીમાં ખાંડ નાખીને પીપળાને અર્પણ કરો. આમ કરવાથી પિતૃદોષનો ક્રોધ દૂર થશે અને પિતૃ દોષનો પ્રભાવ ઓછો થશે.
6/7

એવું કહેવાય છે કે ખાંડ અને નાળિયેરની ભૂકી મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આમ કરવાથી શનિ સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. શનિની સાડાસાતી અને ઢૈયાના પ્રભાવથી બચવા માટે પણ આ પદ્ધતિ ઘણી અસરકારક સાબિત થાય છે.
7/7

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Published at : 16 Jan 2024 05:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
