શોધખોળ કરો
ધોરણ-10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી બહાર પડી, મળશે 40000 રૂપિયાનો પગાર
IAF Agniveervayu Rally: ભારતીય વાયુસેનામાં નોકરી કરવાની શાનદાર તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ હેઠળ સંગીતકારના પદ પર ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે.
જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો અગ્નિવીરવાયુ (સંગીતકાર) માટેની ભરતી પરીક્ષામાં ભાગ લઈ શકે છે.
1/5

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 મેથી શરૂ થશે. અને 5 જૂન અથવા તે પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી પરીક્ષા 03 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા સ્થળ પર લેવામાં આવશે.
2/5

જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા પાસિંગ સાથે ધોરણ 10માં પાસ થયેલ હોવા જોઈએ.
3/5

એરફોર્સમાં અગ્નિવીરની નોકરી મેળવવા માટે ઉમેદવારનો જન્મ 02 જાન્યુઆરી 2004 અને 02 જુલાઈ 2007 (બંને દિવસો સહિત) ની વચ્ચે થયો હોવો જોઈએ.
4/5

ભારતીય વાયુસેનામાં અગ્નિવીર બનવાની ઈચ્છા ધરાવતા કોઈપણ ઉમેદવારને પસંદ કરવામાં આવે તો 30000થી 40000 સુધીનો પગાર મળશે.
5/5

જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે છે તેને આ પ્રોસેસમાં પસાર થવું પડશે. જેમાં સંગીતકાર સાધનો વગાડવાની કાર્યક્ષમતા પરીક્ષણ, અંગ્રેજી લેખિત કસોટી, શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT), અનુકૂલનક્ષમતા ટેસ્ટ-II અને તબીબી તપાસનો સમાવેશ થાય છે.
Published at : 12 May 2024 07:13 AM (IST)
આગળ જુઓ





















