શોધખોળ કરો
Health tips: આ ફળોને આ રીતે ખાવાની ભૂલ ન કરશો, જાણો શું થાય છે નુકસાન
ફળ ખાવાની યોગ્ય રીત
1/4

ફળમાંથી મહત્તમ લાભ મેળવવા માટે, તેનું યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેવન સેવન કરવું જરૂરી છે. અભ્યાસોમાં એવા પુરાવા પણ છે કે સૂર્યાસ્ત પછી ફળોનું સેવન ન કરવું જોઈએ, તે ચયાપચયને અસર કરી શકે છે. ચાલો જાણીએ ક્યા ફળોને છાલ સાથે ખાવા વધુ ફાયદાકારક માનવામાં આવે છે? શું તમે પણ અત્યાર સુધી તેને છોલીને ખાવાની ભૂલ તો નથી કરી રહ્યા?
2/4

તમે પણ ઘણા લોકોને સફરજનની છાલ ઉતારીને ખાતા જોયા હશે, નિષ્ણાતો તેને ખોટી રીત માને છે. સફરજનના મુખ્ય ફળની જેમ તેની છાલમાં પણ અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા માટે ખાસ ફાયદાકારક હોઈ શકે છે. છાલવાળા સફરજન ખાવાની સરખામણીમાં, જો આપણે તેને છાલ સાથે ખાઈએ, તો તે 332% વધુ વિટામિન-K, 142% વધુ વિટામિન-A, 115% વધુ વિટામિન-C, 20% વધુ કેલ્શિયમ અને 19% વધુ પોટેશિયમ પ્રદાન કરે છે
Published at : 14 Apr 2022 11:43 AM (IST)
આગળ જુઓ





















